એક ભક્તના પરિવાર તરફથી 50 કિલો તેમજ સોમનાથ ટ્રસ્ટ તરફથી 18 કિલો ચાંદી અર્પણ કરી કુલ 68 કિલો ચાંદીથી શિવલિંગના થાળાને મઢવામાં આવ્યું છે.
આ ભક્ત પરિવારે આજથી 15 વર્ષ પહેલા આ અંગેનો સંકલ્પ કર્યો હતો. અને આખરે આટલા સમય બાદ મંગળવારે વહેલા પરોઝિયે બ્રહ્મ મુહૂર્તમાં પૂર્ણ કરવામાં આવ્યો. શિવલિંગના થાળાને ચાંદીથી મઢતાં જ સૌ શિવભક્તોમાં આનંદની લાગણી પથરાઈ ગઈ.
મંગળવારે સવારે 4 વાગ્યાના મુહૂર્તમાં ચાંદીના થાળાની મહાપૂજા કરાઈ. પૂજારીએ પ્રક્ષાલન કર્યો હતો. ત્યારબાદ દિવ્ય આરતી બાદ પૂજાવિધિ કરાઈ.
આ સમગ્ર પ્રસંગ દરમિયાન અહલ્યાબાઈ સોમનાથ મહાદેવ મંદિરને ફૂલહારથી શણગારવામાં આવ્યું હતું. સાથે જ નંદિરમાં હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ પણ કરાયો.
ઉલ્લેખનીય છે કે આ પ્રાચીન અહલ્યાબાદ મહાદેવ મંદિરના થાળાને ચાંદીથી મઢવા 8થી વધુ કારીગરો રાત્રિભર સતત કામ કરતા રહ્યાં.
[yop_poll id=1402]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]