ભગવાન બદ્રીનાથ અને કેદારનાથ માટે જંગલની ખરીદી કરશે મુકેશ અંબાણી, સાથે આટલા કરોડ રૂપિયાનું દાન પણ કરીને આવ્યા

રિલાયન્સના ચેરપર્સન મુકેશ અંબાણી શનિવારે બદ્રીનાથ ધામમાં દર્શન માટે પહોંચ્યા હતા. જે બાદ તેમણે ગીતાના પાઠમાં પણ જોડાયા હતા. પરંતુ વાત તો એ છે કે કરોડોના માલિકે ચંદન અને કેસરની ખરીદી માટે બદ્રીનાથ અને કેદારનાથ મંદિર સમિતિને 2 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તો બીજી સૌથી મોટી વાત એ પણ છે કે તેમણે એ વાતનો […]

ભગવાન બદ્રીનાથ અને કેદારનાથ માટે જંગલની ખરીદી કરશે મુકેશ અંબાણી, સાથે આટલા કરોડ રૂપિયાનું દાન પણ કરીને આવ્યા
| Updated on: May 25, 2019 | 3:22 PM

રિલાયન્સના ચેરપર્સન મુકેશ અંબાણી શનિવારે બદ્રીનાથ ધામમાં દર્શન માટે પહોંચ્યા હતા. જે બાદ તેમણે ગીતાના પાઠમાં પણ જોડાયા હતા. પરંતુ વાત તો એ છે કે કરોડોના માલિકે ચંદન અને કેસરની ખરીદી માટે બદ્રીનાથ અને કેદારનાથ મંદિર સમિતિને 2 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તો બીજી સૌથી મોટી વાત એ પણ છે કે તેમણે એ વાતનો ભરોસો પણ આપ્યો કે તામિલનાડુમાં ધીરુભાઈ અંબાણીના નામે તેઓ ચંદનનું જંગલ પણ ખરીદી કરશે.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણીમાં જીત બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી અને અમિત શાહ એક સાથે ગુજરાત આવી રહ્યા છે, જાણો સમગ્ર કાર્યક્રમની યાદી

TV9 Gujarati

મહત્વનું છે કે મુકેશ અંબાણી નિયમિત બદ્રીનાથ મંદિર જતા રહે છે. દીકરી ઈશાના લગ્નનું આમંત્રણ કાર્ડને પણ ભગવાનના ચરણોમાં ચડાવવા બદ્રીનાથ અને કેદારનાથ ગયા હતા. તે વખતે પણ તેમણે મંદિરમાં 51-51 લાખ રૂપિયાનું દાન કર્યું હતું. તો મુકેશ અંબાણીના નાના દીકરા અનંતનું નામ આ વખતે બદ્રીનાથ કેદારનાથ મંદિરની સમિતિમાં પણ જોડવામાં આવ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]