Ahmedabadના બહેરામપુરા વિસ્તારમાં ધોળા દિવસે એક NRI સિનિયર સીટીઝનને બંધક બનાવી સોના-ચાંદીના ઘરેણાં સહિત લાખોની લૂંટ કરવામાં આવી છે. બહેરામપુરા વિસ્તારમાં આવેલા આનંદજી કલ્યાણજી જૈન નગરમાં લૂંટનો આ બનાવ બન્યો છે.
મળતી માહિતી મુજબ આ NRI સિનિયર સીટીઝન ઘરે એકલા હતા ત્યારે ત્રણ લૂંટારૂઓએ ઘરમાં ઘૂસી તેમની આંખમાં મરચું નાખ્યું હતું અને તેમણને સેલોટેપથી બાંધી બંધક બનાવ્યા હતા. ત્યારબાદ લૂંટારૂઓએ ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણાં, ટીવી, મોબાઈલ ફોન સહિતની લાખો રૂપિયાની લૂંટ ચલાવી હતી.
Published On - 5:56 pm, Thu, 25 February 21