Ahmedabad Fire: અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલા રેડિયોમિર્ચી ટાવર સામે ચંદ્રનગર છાપરામાં લાગેલી આગ કાબુમાં આવી ગઇ છે. ગેસ સિલિન્ડરમાં બ્લા્ટ બાદ એકાએક આગ લાગી હતી. જેમાં 40થી વધુ ઝૂંપડા બળીને ખાખ થઇ ગયા છે.
13થી વધુ ફાયર ફાઇટર દ્વારા 1 લાખ 30 હજાર ક્યુસેક પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લીધી હતી. લગભગ 8 જેટલા સિલિન્ડર બ્લાસ્ટ થયા હોવાનું અનુમાન છે. સદનસીબે આ આગમાં જાનહાનિ નથી થઇ. પરંતુ ઝૂંપડાઓ આગમાં ખાખ થઇ જતા સ્થાનિકોએ માગ કરી છે કે સરકાર તેમને આર્થિક સહાય કરે
Published On - 10:53 am, Tue, 25 May 21