ટેકનોલોજી હવે ઝડપથી વધી રહી છે અને તેની સીધી અસર ઉપભોક્તાઓ પર પણ પડે છે. નવી શોધ અને સુવિધાઓને લઈ ગ્રાહકો માટે અમુક તકલીફો સરળતામાં પરિવર્તિત થઈ જાય છે. આવી જ એક સુવિધાની વાત અમે કરી રહ્યા છે એટીએમમાંથી વિડ્રો કરવામાં આવતા કેશને લઈને પણ છે. વાંચો હવે તમે કઈ રીતે સરળતાથી પૈસા ઉપાડી શકો છો.
જ્યારે તમને પૈસા ઉપાડવાની જરૂર પડે છે અને નજીકના એટીએમ સેન્ટરમાં ઉતાવળમાં ઉપડી તો જાવ છો પણ એ સમયે અગર તમે તમારૂ ડેબીટ કાર્ડ ભુલી ગયા હોવ તો શુ? તો આપને જણાવી દઈએ કે તમારે પાછા કાર્ડ લેવા આવવાની જરૂર નહી પડે. વાત સાચી છે તમે કાર્ડ વગર પણ રોકડા ઉપાડી શકો છો.
તમે જે વાંચ્યુ તે સાચુ એટલા માટે છે કે QR કોડ સ્કેન કરીને ATMમાંથી રોકડ ઉપાડી શકશો, પરંતુ આ માટે તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખવી પડશે. એટીએમમાંથી કાર્ડલેસ કેશ ઉપાડવાની સુવિધા વિશે તો સાંભળ્યું જ હશે પરંતુ તમે એ પણ વિચારતા હશો કે બંને વચ્ચે શું તફાવત છે? તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે બંને વચ્ચે માત્ર એટલો જ તફાવત છે કે કાર્ડલેસ કેશ સુવિધા OTP પર આધારિત છે જ્યારે QR કોડ સુવિધા QR કોડ દ્વારા પૈસા ઉપાડવાની મંજૂરી આપે છે.
આ સુવિધાના માધ્યમથી UPI દ્વારા ATMમાંથી માત્ર 10,000 રૂપિયા ઉપાડી શકો છો. યુપીઆઈ પેમેન્ટની સિસ્ટમ આવી જવાને લઈ વિવિધ બેંકોના કાર્ડ સાથે રાખવાની જરૂરિયાત અને ઝંઝટ બંને પુરી થઈ ગઈ છે. એકંદરે, જો તમે આ સુવિધાનો ઉપયોગ કરવા માંગો છો, તો તમારી પાસે એક ફોન હોવો આવશ્યક છે જેના દ્વારા તમે UPI ચુકવણી કરી શકો.