કોરોનાકાળમાં દેશમાં પ્રથમવાર દર્શકોની હાજરીમાં ક્રિકેટ મેચ યોજાશે અને અમદાવાદનું મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ દર્શકોની ચિચકારીઓથી ગૂંજી ઉઠશે. જી હા કોરોનાકાળમાં ક્રિકેટ રસિકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની મોટેરા સ્ટેડિયમમાં ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ દર્શકોની હાજરી વચ્ચે રમાશે. ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે મોટેરા સ્ટેડિયમમાં પાંચ T-20 મેચ રમાશે. આ મેચો પણ દર્શકોની પુરેપુરી હાજરી વચ્ચે રમાશે. મહત્વપૂર્ણ છે કે મોટેરા સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે 7 ઇન્ટરનેશલન મેચ રમાશે. જેમાં 2 ટેસ્ટ અને 5 T-20 મેચનો સમાવેશ થાય છે.
Published On - 8:04 pm, Mon, 1 February 21