ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે મોહમ્મદ શમી દ્વારા નાખવામાં આવેલી ઓવરના દમ પર તેમની ટીમ સેડન પાર્કમાં ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી ટી-20 મેચમાં જીતવામાં સફળ રહી. ભારતે ન્યૂઝીલેન્ડની સામે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 179 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડની ટીમે પણ 179 રન જ બનાવ્યા અને મેચ સુપર ઓવરમાં ગઈ, જ્યાં રોહિતે ભારતને શાનદાર જીત અપાવી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
છેલ્લી ઓવરમાં ન્યૂઝીલેન્ડની ટીમને જીતવા માટે 9 રનની જરૂર હતી. રોસ ટેલરે શમીની ઓવરમાં સિક્સર મારી દીધી હતી, ત્યારબાદ શમીએ શાનદાર વાપસી કરી. છેલ્લા બોલ પર એક રનની જરૂર હતી અને શમીને આઉટ કરી દીધા. રોહિત શર્માએ કહ્યું બંને સેટ બેટસમેન છેલ્લી ઓવરમાં આઉટ થયા.
એક બેટસમેન 95 રન પર રમી રહ્યો હતો અને તેમનો સૌથી અનુભવી બેટસમેન નોન-સ્ટ્રાઈક પર હતો. શમીએ આ ઓવર નાખી હતી. તેથી તેમની પ્રશંસા થવી જોઈએ, જેમને અમને સુપર ઓવરમાં પહોંચાડ્યા. તેમને વધુમાં કહ્યું કે શમી દ્વારા નાખવામાં આવેલી ઓવર ખુબ જ મહત્વની હતી અને આ સકારાત્મક વાત છે કારણ કે અમે વિશ્વ કપમાં પણ આવી મેચ રમી શકીએ છીએ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]