શું ભારત WORLD CUP 2019નો સંપૂર્ણ બહિષ્કાર કરશે કે માત્ર પાકિસ્તાન સામેની મૅચ નહીં રમે ? જવાબ જાણવા માટે આ ખબર વાંચવી જરૂરી છે

|

Mar 04, 2019 | 6:03 AM

પુલવામા આતંકી હુમલા બાદ ICC WORLD CUP 2019માં ભારતના રમવા અને રમે, તો પાકિસ્તાન સામેની મૅચ રમવાને લઈને અટકળો ચાલુ છે. TV9 Gujarati   Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો ઉનાળા […]

શું ભારત WORLD CUP 2019નો સંપૂર્ણ બહિષ્કાર કરશે કે માત્ર પાકિસ્તાન સામેની મૅચ નહીં રમે ? જવાબ જાણવા માટે આ ખબર વાંચવી જરૂરી છે

Follow us on

પુલવામા આતંકી હુમલા બાદ ICC WORLD CUP 2019માં ભારતના રમવા અને રમે, તો પાકિસ્તાન સામેની મૅચ રમવાને લઈને અટકળો ચાલુ છે.

TV9 Gujarati

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

અનેક નેતાઓ અને ખેલાડીઓ કહી ચુક્યા છે કે TEAM INDIAએ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે 16 જૂને યોજાનારી મૅચ ન રમવી જોઇએ, ભલે 2 પૉઇંટ ગુમાવવા પડે. તો બીજી બાજુ પાકિસ્તાન સામે રોષે ભરાયેલા કેટલાક એવા લોકો પણ છે કે જે એમ કહી રહ્યા છે કે જો વર્લ્ડ કપમાં પાકિસ્તાન રમતું હોય, તો ભારતે આખાય વર્લ્ડ કપનો બહિષ્કાર કરી દેવો જોઇએ.

જોકે એ વાત તો નક્કી થઈ ગઈ છે કે પાકિસ્તાન વર્લ્ડ કપમાં રમવાનું જ છે, કારણ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ્ (ICC)એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની આ અપીલને ફગાવી દીધી છે કે જે દેશ આતંકવાદને પોષે, તેની ટીમને વર્લ્ડ કપમાંથી હાંકી કાઢવી જોઇએ. આઈસીસી કહી ચુક્યું છે કે આ કામ તેનું નથી.

હવે બધો દારોમદાર ભારત સરકાર, ખેલ મંત્રાલય અને બીસીસીઆઈ પર છે. બીસીસીઆઈએ આઈસીસીના આ વલણ પર વિચાર કરવા માટે આગામી 7 માર્ચે વહીટદાર સમિતિ (COA)ની બેઠક બોલાવી છે. આ બેઠકમાં આઈસીસીએ પાકિસ્તાનને લઈને કરેલા નિર્ણય પર વિચાર કરવામાં આવશે અને નક્કી કરવામાં આવશે કે ભારતે વર્લ્ડ કપ 2019માં ભાગ લેવો કે નહીં ? જો ભારત ભાગ લેશે, તો તે પાકિસ્તાન સામેની મૅચ રમશે કે નહીં ?

એટલે હવે તમામ ક્રિકેટ રસિકોએ 7 માર્ચની રાહ જોવી પડશે. કદાચ એ દિવસે બીસીસાઈ કોઈ મોટો નિર્ણય કરી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article