India vs England: ભારત ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ચેન્નાઈ ખાતે 420 રનનો પીછો કરતાં ભારત 192 રનમાં ઓલઆઉટ થયું છે. ભારત 22 વર્ષે ચેન્નાઈમાં ટેસ્ટ હાર્યું છે. ભારત અહી ચેન્નાઈમાં છેલ્લે જાન્યુઆરી 1999માં પાકિસ્તાન સામે 12 રને હાર્યું હતું. તે પછી ટીમ ઇન્ડિયાએ અહીં 8 ટેસ્ટ રમી હતી, જેમાંથી 5 જીતી હતી અને 3 ડ્રો રહી હતી. આ ઇંગ્લેન્ડની ભારતીય જમીન પર સૌથી મોટી જીત સાબિત થઈ છે. આ પહેલા તેમણે 2006માં મુંબઈ ટેસ્ટ 212 રને જીતી હતી.
420ના લક્ષ્યને આંબવા ભારત 192 પર હાંફી ગયું હતું. આમ ભારતની ધરતી પર 277 રને ઈંગ્લેન્ડની મોટી જીત થઈ હતી.
ઈંગ્લેન્ડના ઓલ રાઉન્ડર બેન સ્ટોકસે વિરાટના સ્ટમ્પ સાથે સાથે ભારતની જીતના સપના પણ ઉડાવી દીધા. 104 બોલમાં 72 રન બનાવી કોહલી આઉટ થઈ ગયા હતા.
ચેન્નાઈ ટેસ્ટની જીતના સંઘર્ષમાં 7 મી વિકેટ પડી છે. 46 બોલનો સામનો કરીને અશ્વિન 9 રન બનાવીને આઉટ થઈ ગયો છે. જેક લીચે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો.
વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દીની આ 32 મી અર્ધ સદી છે. 74 બોલમાં વિરાટે 50 રન બનાવ્યા છે. ચેન્નાઇ ટેસ્ટમાં ભારતે બીજી ઇનિંગમાં 420 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો અને 6 વિકેટે 150 રનનો આંક પાર કર્યો. જોકે, વિજયનો લક્ષ્યાંક હજી દિલ્હીથી ઘણો દૂર છે. પરંતુ સંઘર્ષ એક મોટી વસ્તુ છે. અને તે જ સંઘર્ષ કેપ્ટન કોહલી અને અશ્વિન ચેન્નાઇના મેદાન પર કરતા જોવા મળે છે.
વિરાટ અને અશ્વિન ક્રીઝ પર છે. ભારતની એક આ છેલ્લી એવી બેલડી છે જેનાથી ભારત કઈક આશા રાખી શકે છે. અત્યારે ઈંગ્લેન્ડની પકડ મેચમાં મજબૂત છે. જીતવા માટે ભારતે 250થી વધારે રન બનાવા પડશે જ્યારે સામે માત્ર 4 જ વિકેટ બચી છે.
Lunch Break : ભારતે 6 વિકેટ પર 144 રન બનાવ્યા. જીતના લક્ષ્યથી ટીમ ઈન્ડિયા હજુ પણ 276 રન દૂર છે.
આર્ચરના બોલે અશ્વિનના કાંડાને ઇજા ગ્રસ્ત શું કર્યો કે અશ્વિને બોલને સીધો બાઉન્ડ્રીની પેલે પાર કરી દીધો. કાંડામાં ઇજા થવા છતાં પણ મેદાન પર રહી રમત ચાલુ રાખી અને બીજા જ બોલમાં એક શાનદાર ચોકકો ફટકાર્યો
વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડના સ્પિનર ડોમ બેસના 3 બોલમાં 3 ચોક્કાઓ ફટકાર્યા છે. આ સાથે જ તે પોતાની અડધી સદી તરફ આગળ વધી રહ્યા છે. ભારતને હવે જીતવા માટે 280 રનની જરૂર છે ત્યારે સૌ કોઈ કેપ્ટન કોહલી પર મીટ માંડીને બેઠા છે.
ચેન્નાઈ ટેસ્ટની બીજી પારીમાં ભારતની 6 વિકેટ પડી ચૂકી છે. જેમાંથી બે વિકેટ લીચને તો 3 એન્ડર્સનને ફાળે ગઈ છે અને એક વિકેટ ડોમ બેસે લીધી (સુંદર)
ભારતની જીતની જવાબદારી હવે લગભગ કેપ્ટન વિરાટ ઉપર જ છે. જેક લીચની ઓવરમાં ત્રીજા બોલ પર કોહલીએ એક શાનદાર ચોકકો ફટરકાર્યો
ભારત પોતાનો લક્ષ્ય મેળવવા મેદાન પર મેહનત કરી રહ્યું છે અને 100 રન પર પહોંચી ગયું છે. પંત અને વિરાટની જોડી ક્રીઝ પર છે. ભારતને જો પોતાના લક્ષ્ય સુધી પહોંચવું હશે તો આ જોડીએ કઈક મોટું કરવું પડશે
ભારતીય ટીમ માટે એન્ડર્સન ખતરનાક સાબિત થઈ રહ્યો છે. ગિલ બાદ તેને રહાણેને પોતાનો શિકાર બનાવ્યો. રહાણેને ખાતુ ખોલવાનો પણ મોકો આપ્યો નહીં અને કરી દીધો બોલ્ડ.
ચેન્નાઈ ટેસ્ટની બીજી પારીમાં ગિલ 50 રન બનાવીને આઉટ થઈ ગયા. એન્ડર્સને કર્યો બોલ્ડ
ચેન્નાઈ ટેસ્ટમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 420 રનનો પીછો કરતા ભારતે બીજી ઈનિગ્સમાં મેચના પાંચમા દિવસે, એક વિકેટનો ભોગે 50 રન બનાવ્યા છે. હજુ જીતના લક્ષ્યાંક કરતા 470 રન દુર છે ભારત. હાલ ચેતેશ્વર પુજારા અને શુભમન ગીલ ક્રિજ ઉપર છે.
ચેન્નાઈ ટેસ્ટ મેચનો આજે પાંચમો દિવસ છે. ભારતને જીતવા માટે 381 રનની આવશ્યકતા છે. જો ભારત આજે 381 રન બનાવી લે છે તો, એશિયામાં એક નવો વિક્રમ રચાશે. હાલ તો આ વિક્રમ પાકિસ્તાનના નામે છે પાકિસ્તાને 2014માં શ્રીલંકા સામેની ટેસ્ટ મેચમાં છેલ્લા દિવસે 302 રન કર્યા છે. ભારત જો આજે પાંચમા દિવસે 381 રન બનાવે છે તો આ એક નવો વિક્રમ હશે.
Published On - 1:54 pm, Tue, 9 February 21