ચેન્નાઈમાં રમાઈ રહેલી ઈગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ ભારતે રનથી જીતી લઈને શ્રેણી એક- એકથી સરભર કરી છે. હવે અમદાવાદમાં 24 ફેબ્રુઆરીથી ડે નાઈટ ત્રીજી ટેસ્ટમેચ રમાશે. ભારતે બીજી ટેસ્ટ મેચ જીતવા સાથે વિશ્વ ચેમ્પીયનશીપમાં સ્થાન ટકાવી રાખ્યુ છે. ઈગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતે એક અને ઈગ્લેન્ડ એક મેચ જીતી ગયુ છે. ચેન્નાઈ ટેસ્ટમાં ડેબ્યુ થનારા અક્ષર પટેલે બીજી ઈનીગ્સમાં પાંચ વિકેટ પ્રાપ્ત કરી છે. તો પહેલા દાવમાં આર અશ્વિને સેન્ચ્યુરી ફટકારવા સાથે પાંચ વિકેટ ઝડપી હતી. 482 રનના લક્ષ્યાંક સાથે મેદાનમા ઉતરેલા ઈગ્લેન્ડ 164 રનમાં ઓલઆઉટ થઈ ગયુ હતું. ભારત તરફથી ટેસ્ટ પ્રવેશ કરનાર અક્ષય પટેલે મેચમાં કુલ સાત વિકેટ મેળવી છે તો આર અશ્વિને કુલ આઠ વિકેટ મેળવીને ઈગ્લેન્ડની કમર તોડી નાખી છે.