
IND vs PAK T20 World Cup Boycott Controversy: પાકિસ્તાન સરકારે તેમની મેન્સ ક્રિકેટ ટીમને 7 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહેલી T20 વિશ્વ કપને લઈને શ્રીલંકા જવાની અનુમતી આપી દીધી છે. જો કે તેમણે એ પણ ઘોષણા કરી છે કે ટીમ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત સામે થનારી તેની ગૃપ મેચમાં નહીં રમે. ભારત સામેની મેચનો બહિષ્કાર કરવા અંગે તેમણે ખાસ કોઈ કારણ રજૂ નથી કર્યુ.
T20 World Cup 2026 ને લઈને શરૂ થયેલો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. પહેલા બાંગ્લાદેશે ટુર્નામેન્ટનો બહિષ્કાર કર્યો તો હવે પાકિસ્તાને બાંગ્લાદેશનો સાથ દેતા ભારત સામેની તેની 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાનારી T-20 વર્લ્ડ કપની મેચ ન રમવાનો નિર્ણય કર્યો છે. ભારત- પાકિસ્તાન સામે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં મુકાબલો થવાનો હતો. આવામાં પાકિસ્તાને ભારત વિરુદ્ધ તેની ગૃપ લીગ મેચનો બોયકોટ કરવાનો નિર્ણય કર્યો છે. જેનાથી પાકિસ્તાન ચારેબાજુથી ઘેરાઈ શકે છે.
હવે છેલ્લા 24 કલાકમાં પાકિસ્તાન સરકાર અને તેના ક્રિકેટ બોર્ડ (PCB) ના આ નિર્ણયથી વર્લ્ડ ક્રિકેટની રાજનીતિ ગરમાઈ ગઈ છે. PCB ની આ હરકતથી દુબઈ હેડક્વાર્ટર સ્થિત ICC ની મોટી બેઠક મળવાની સંભાવના છે.
પાકિસ્તાન દ્વારા ભારત સામેની T-20 મેચનો બહિષ્કાર કરવાથી એવી અટકળો શરૂ થઈ હતી કે ICC હવે PCB પર પ્રતિબંધ મૂકશે, પરંતુ ICC એ હજુ સુધી નિર્ણય લીધો નથી કે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે બોર્ડ મીટિંગ ક્યારે અને કેવી રીતે બોલાવવી. પ્રતિબંધો પર કોઈપણ ચર્ચા સામાન્ય રીતે ICC બોર્ડની અંદર થાય છે, જેમાં 12 પૂર્ણ સભ્ય બોર્ડ અને ત્રણ એસોસિયેટ બોર્ડના પ્રતિનિધિઓ તેમજ ICC પ્રમુખનો સમાવેશ થાય છે. જોકે, ICC એ હજુ સુધી બોર્ડને કોઈપણ કટોકટીની બેઠકની જાણ કરી નથી, જોકે PCB બહિષ્કાર પાછળના કારણો અને સરકારના નિર્ણય અંગે ICC ને લેખિતમાં સત્તાવાર રીતે જવાબ આપવાની શક્યતા ઓછી છે.
Published On - 2:56 pm, Mon, 2 February 26