OMG: ક્રિકેટરોએ કરી દીધી હડતાળ, ભારત-બાંગલાદેશ વચ્ચેની સિરીઝ પર સંકટ

|

Oct 23, 2019 | 8:05 AM

ભારત-બાંગલાદેશ વચ્ચે આગામી મહિને યોજાનારી સિરીઝમાં સકંટ આવી શકે છે. બાંગલાદેશના ખેલાડીઓએ કહ્યું કે, જ્યા સુધી તેમનું ક્રિકેટ બોર્ડ ખેલાડીઓની માગણી નહીં માને ત્યાં સુધી હડતાળ શરૂ રહેશે. મહત્વનું છે કે, બાંગલાદેશના ખેલાડીઓ હડતાળ પર ઉતર્યા છે. જેને લઈને તેમના ભારત પ્રવાસ પર સવાલો થઈ રહ્યા છે. જો કે તેમનો પ્રવાસ રદ થશે કે નહીં […]

OMG: ક્રિકેટરોએ કરી દીધી હડતાળ, ભારત-બાંગલાદેશ વચ્ચેની સિરીઝ પર સંકટ

Follow us on

ભારત-બાંગલાદેશ વચ્ચે આગામી મહિને યોજાનારી સિરીઝમાં સકંટ આવી શકે છે. બાંગલાદેશના ખેલાડીઓએ કહ્યું કે, જ્યા સુધી તેમનું ક્રિકેટ બોર્ડ ખેલાડીઓની માગણી નહીં માને ત્યાં સુધી હડતાળ શરૂ રહેશે. મહત્વનું છે કે, બાંગલાદેશના ખેલાડીઓ હડતાળ પર ઉતર્યા છે. જેને લઈને તેમના ભારત પ્રવાસ પર સવાલો થઈ રહ્યા છે. જો કે તેમનો પ્રવાસ રદ થશે કે નહીં તે માનવું ઉતાવડ છે. શાકીબ અલ હસન, તમીમ ઈકબાલ અને મુશ્ફીકુર રહીમ ક્રિકેટ બોર્ડના મુખ્ય કાર્યાલયે પહોંચ્યા હતા. અને પોતાની માગણી સાથે હડતાળ શરૂ રાખવાનું એલાન કર્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

અહેવાલ પ્રમાણે ખેલાડીઓને બાંગલાદેશ પ્રિમિયર લીગ BPLની સાતમી સિઝનમાં પગારની સમસ્યા છે. બાંગલાદેશને ભારતમાં એક T-20 અને 2 ટેસ્ટ મેચ રમવાની છે. બંને દેશ વચ્ચે પહેલી T-20 મેચ ત્રણ નવેમ્બરે યોજાશે. પરંતુ બાંગલાદેશના સિનિયર ખેલાડીઓ પોતાની માગણી સાથે ક્રિકેટનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જાણો શું છે માગણી

બાંગલાદેશ ક્રિકેટ ટીમના ખેલાડીઓને ક્રિકેટ્સ વેલફેર એસો.ના કામગીરીથી નારાજગી છે. ખેલાડીઓને લાગે છે કે, તેમની ભલાઈ માટે કોઈ કામ થતા નથી. જેથી ખેલાડીઓની માગણી છે કે, વેલફેર એસોસિએશનના અધ્યક્ષ અને સચિવ પોતાના પદ છોડી દે. અને તેમની જગ્યાએ નવા અધ્યક્ષ અને સચિવની ચૂંટણી ખેલાડીઓના માધ્યમથી થવી જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બાંગલાદેશ પ્રિમિયર લીગની ટીમ હવે ક્રિકેટ બોર્ડ દ્વારા સંચાલિત થાય છે. ખેલાડીઓની માગણી છે કે, પહેલાની જેમ ફ્રેન્ચાઈઝી આધારીત મોડલ પર લીગની સંરચના થવી જોઈએ. સાથે સ્થાનિક ખેલાડીઓને પોતાની કિંમત જાતે નક્કી કરવાની મંજૂરી આપવી જોઈએ.

બાંગલાદેશના ખેલાડીઓની એ પણ માગછે કે, પ્રથમ શ્રેણીના ક્રિકેટ મેચ માટે એક લાખ ટકા પ્રતિ મેચનો વધારો કરવો જોઈએ. જેનો મતલબ 83,700 રૂપિયા પગારમાં વધારો છે. જે વર્તમાન સ્તરથી આશરે ત્રણ ગણુ વૃદ્ધિ થશે. સાથે પગારભથ્થા અને અન્ય સુવિધામાં પણ વધારો કરવાની માગણી છે. માત્ર ખેલાડી નહીં પણ ગ્રાઉન્ડ્સમેન, લોકોલ કોચ, અમ્પાયર, ફિઝિયો અને ટ્રેનરનો પગાર પણ વધવો જોઈએ.

Published On - 8:04 am, Wed, 23 October 19

Next Article