West Bengal : કોરોનાને કારણે ચૂંટણીપંચની નવી ગાઈડલાઈન, પ્રચાર અભિયાનમાં રેલી-રોડ શો પર પ્રતિબંધ લગાવ્યો

|

Apr 22, 2021 | 10:58 PM

West Bengal : પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં છઠ્ઠા તબક્કા પહેલા પણ ચૂંટણી પંચ (Election Commission) એ પ્રતિબંધ જાહેર કર્યા હતા.

West Bengal : કોરોનાને કારણે ચૂંટણીપંચની નવી ગાઈડલાઈન, પ્રચાર અભિયાનમાં રેલી-રોડ શો પર પ્રતિબંધ લગાવ્યો
FILE PHOTO

Follow us on

West Bengal : કોરોનાનાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ (Election Commission)એ પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટેની ગાઈડલાઈન માં સુધારો કર્યો છે. હવે રોડ શો અને બાઇક રેલીઓને મંજૂરી આપવામાં આવશે નહીં. તેમજ ચૂંટણી રેલીમાં માત્ર 500 લોકો ભાગ લઈ શકશે.

રોડ શો, બાઇક રેલીઓને મંજૂરી નહી
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી (West Bengal Assembly Election) માં કોરોના સંક્રમણ ફેલાવાનો મોટો ભય છે. આ જોતાં ચૂંટણી પંચ (Election Commission)એ પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટેની ગાઈડલાઈન માં સુધારો કર્યો છે. આ અંતર્ગત રાજ્યમાં હવે કોઈ રોડ શો અને બાઇક રેલીની મંજૂરી આપવામાં આવશે નહીં. ઉપરાંત, 500 થી વધુ લોકો ચૂંટણી રેલીમાં ભાગ લઈ શકશે નહીં. આદેશમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચે અવલોકન કર્યું છે કે, જાહેરસભા દરમિયાન ઘણા રાજકીય પક્ષો અને ઉમેદવારો કોવીડ નિયમોનું પાલન કરી રહ્યા નથી.

ચૂંટણી પંચે ગાઈડલાઈનનું પાલન કરવા કડક સૂચના આપી હતી
ચૂંટણી પંચ (Election Commission)એ કહ્યું હતું કે તમામ ઉમેદવારો અને રાજકીય પક્ષોએ કોરોના ગાઈડલાઈનનું સખતપણે પાલન કરવું પડશે. કોઈપણ પ્રકારના નિયમના ભંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રેલીના આયોજકોની જવાબદારી રહેશે કે તે રેલીમાં ઉપસ્થિત લોકોને સેનિટાઇઝર અને માસ્ક આપે. ઉપરાંત, રેલીમાં જેટલા લોકોની મંજૂરી છે તેટલા લોકોને એકત્રિત કરો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કલકત્તા હાઈકોર્ટે વ્યક્ત કરી હતી નારાજગી
કલકત્તા હાઇકોર્ટે વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોવિડ -19 વિરોધી નિયમો લાગુ કરવા અંગે ચૂંટણી પંચ સામે નારાજગી વ્યક્ત કરી હતી. મુખ્ય ન્યાયાધીશ ટીબીએન રાધાકૃષ્ણનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે ચૂંટણી દરમિયાન કોવિડ વિરોધી પ્રોટોકોલના અમલીકરણની વિનંતી કરતી ત્રણ પીઆઇએલ પર સુનાવણી કરતાં કહ્યું હતું કે કોવિડ સુરક્ષા અંગે મીટિંગો કરવી અને પરિપત્રો જાહેર કરવા પર્યાપ્ત નથી.હાઈકોર્ટે ચૂંટણી પંચને નિયમો લાગુ કરવામાં આવ્યાં છે તે અંગે શુક્રવાર સુધીમાં એફિડેવિટ દાખલ કરવાનું કહ્યું હતું.

હવે 2 તબક્કાનું મતદાન બાકી રહ્યું
West Bengal Bengal Election 2021 માં આઠ તબક્કામાંથી અત્યાર સુધીમાં 6 તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે હવે 26 મી એપ્રિલે સાતમા તબક્કામાં 35 બેઠકો પર મતદાન થશે. આઠમા અને અંતિમ તબક્કાની ચૂંટણી 29 એપ્રિલના રોજ યોજાશે, જેમાં 35 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. મતની ગણતરી 2 મેના રોજ થશે.

Next Article