ઉતરપ્રદેશના કેબિનેટકક્ષાના ટેકનિકલ શિક્ષણ પ્રધાન કમલા રાણી વરુણનું કોરોનાથી આજે સવારે મૃત્યુ નિપજ્યુ છે. કમલા રાણી વરુણ 18 જુલાઈએ કોરોનાથી સંક્રમીત થયા હતા અને સારવાર માટે લખનઉની પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ થયા હતા. કમલારાની વરુણ કાનપૂરથી ધારાસભ્ય હતા. ઉતરપ્રદેશમાંથી 11 અને 12મી લોકસભા માટે કમલ રાણી વરુણ સંસદસભ્ય પણ રહી ચૂક્યા છે. તેમનો જન્મ 3 મે 1958ના રોજ થયો હતો. કમલા રાણી વરૂણના નિધન અંગે ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદીત્યાનાથે ટવીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. પ્રજાને સમર્પિત જનનેત્રીનુ ગુમાવ્યાનું દુઃખ વ્યક્ત કર્યું છે.