
2024માં પોતે વડાપ્રધાન પદ માટેની દાવેદારીના પ્રશ્ન પર અમિત શાહે કહ્યું કે પાર્ટીમાં મારાથી સિનિયર ઘણાં નેતા હાજર છે.
અમિત શાહે કહ્યું કે તેમની પાર્ટી ઉત્તરપ્રદેશમાં 2014 લોકસભા ચૂંટણીથી વધારે સીટો પર વિજય મેળવશે. ઉત્તરપ્રદેશમાં ભાજપની સીટ 73થી 74 થઈ શકે છે પણ 72 નહી થઈ શકે.
પશ્ચિમ બંગાળના પ્રશ્ન પર અમિત શાહે કહ્યું કે પાર્ટી ત્યાં સારૂ કરવા જઈ રહી છે. ત્યાં સંગઠન અત્યારે જે સ્થિતિમાં છે અને મમતા સરકાર જે રીતે ચાલી રહી છે. તેનાથી મને વિશ્વાસ છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપને 23 સીટો મળશે.
અમે બધાને સાથે લઈને ચાલીએ છીએ પણ અમે કોઈને સાથી નથી બનાવ્યા. PDPની સાથે ગઠબંધન પર અમિત શાહે કહ્યું કે તે સ્થિતિમાં બંને પાર્ટી મળીને સરકાર બનાવી શકતી હતી. 2019ની લોકસભા ચૂંટણી પછી માયાવતીની મદદ કરવાના પ્રશ્ન પર અમિત શાહે કહ્યું કે NDAની પૂર્ણ બહુમતની સરકાર આવશે અને પૂર્ણ બહુમત પછી પોસ્ટ મતદાન નથી થતું.
શિવસેના, ઓમપ્રકાશ રાજભર તરફથી સતત સીધા વડાપ્રધાન મોદી પર કરેલા હુમલા વિશે અમિત શાહે કહ્યું કે જુઓ તમે જે માનો તે પણ અમારી સહનશીલતા ખુબ છે.
વંશવાદ પર કોંગ્રેસ મહારાષ્ટ્રમાં શિવસેનાના મુદ્દે કેમ બોલતી નથી? તેના જવાબમાં શાહે કહ્યું કે જ્યારે સોનિયા ગાંધીએ નિર્ણય લીધો કે હવે તે અધ્યક્ષ નહી રહે ત્યારે કોઈને શંકા હતી કે કોંગ્રેસના બીજા અધ્યક્ષ કોણ બનશે? હવે તમે જણાવો કે મારા પછી ભાજપના અધ્યક્ષ કોણ હશે? નહી જણાવી શકો કારણ કે અમારે ત્યાં ડેમોક્રેટિક સિસ્ટમ છે.
અમારી પાર્ટીના કોઈ કાર્યકર્તાનો પુત્ર કે પુત્રી મુખ્યમંત્રીની જગ્યાએ મુખ્યમંત્રી નથી બનતા. અમે અધ્યક્ષ પદના કાર્યકાળને પણ નાનો કર્યો છે. પાર્ટીના સંવિધાનને પણ બદલ્યો છે. NDAના વંશવાદના પ્રશ્ન પર અમિત શાહે કહ્યું કે પહેલા તો અમે કહેવા માગીએ છે કે અમે કોઈને નફરત કરતા નથી. અમે વંશવાદ પર જાગૃતિ કરીએ છીએ.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]