Gujarati News Politics There are many other options to keep my word said kangana outraged by the suspension of her twitter account
ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ થવા પર ભડકી કંગના, કહ્યું, ‘મારી વાત રાખવા માટે અન્ય ઘણા છે વિકલ્પ’
કંગના રનૌતનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી કંગના પર ટ્વીટરના નિયમોનું પાલન નહીં કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એકાઉન્ટ કાઢી નાખ્યાં પછી #KangnaRanaut હેશટેગ ટ્વીટર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. હવે આ અંગે કંગનાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
1 / 5
કંગના રનૌતનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી કંગના પર ટ્વીટરના નિયમોનું પાલન નહીં કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એકાઉન્ટ કાઢી નાખ્યાં પછી #KangnaRanaut હેશટેગ ટ્વીટર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. હવે આ અંગે કંગનાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
2 / 5
કંગનાએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે, 'ટ્વીટર દ્વારા હંમેશા સાબિત થયું છે કે તે જન્મથી અમેરિકન છે. તેને લાગે છે કે એક સફેદ વ્યક્તિ ભારતમાં રહેતા વ્યક્તિ (કાળા)ને ગુલામ બનાવવાનો હકદાર છે. તેઓ તમને કહેવા માંગે છે કે શું વિચારવું, બોલવું અને શું કરવું. મારી પાસે ઘણા મંચ છે જેનો ઉપયોગ હું મારો અવાજ બુલંદ કરવા માટે કરી શકું છું.''
3 / 5
ખરેખર, કંગના છેલ્લા કેટલાક દિવસોથી યુઝર્સના નિશાના પર હતી અને તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી રહી છે. માનવામાં આવે છે કે તેમના ઘણા વિવાદાસ્પદ ટ્વીટ્સ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કંગનાએ લખ્યું- 'આસામ અને પુડુચેરીમાં ભાજપનો વિજય થયો, પરંતુ ત્યાંથી કોઈ હિંસા થયાના સમાચાર નથી. બંગાળમાં ટીએમસી ચૂંટણી જીતી ગઈ હતી અને સેંકડો લોકોના મોત થયા હોવાના અહેવાલો હતા, પરંતુ લોકો કહેશે કે મોદીજી એક સરમુખત્યાર છે અને મમતા બેનર્જી ધર્મનિરપેક્ષ નેતા છે.'
4 / 5
કંગના ટ્વીટર પર ખૂબ જ સક્રિય છે અને દરેક મુદ્દે પોતાનું નિવેદન આપે છે. અનેક મુદ્દાઓ પર વિરોધાભાસી વકતૃત્વ માટે પણ તેમની ભારે ટીકા થઈ હતી. ખાસ કરીને તે મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ બોલવાના કારણે ચર્ચામાં વધુ હતી. આ પછી કંગના પર પણ અનેક એફઆઈઆર નોંધાઈ હતી.
5 / 5
ભૂતકાળમાં ઓક્સિજન પરના એક ટ્વીટને કારણે કંગનાને ટ્રોલ કરવામાં આવી હતી. કંગનાએ લખ્યું છે કે, "દરેક વ્યક્તિ વધુને વધુ ઓક્સિજન પ્લાન્ટ લગાવે છે, જેથી ઘણા ટન ઓક્સિજન સિલિન્ડર બનાવી શકાય. આપણે હાલમાં પર્યાવરણમાંથી જે ઓક્સિજન પરાણે લઈએ છીએ તે કેવી રીતે પરત કરીશું? આપણે આપણી ભૂલોથી કંઈ શીખ્યું નથી. આપણે મોટા પાયે ઝાડ વાવવા જોઈએ. '