પિતા લાલુપ્રસાદ યાદવથી બગાવત કરનારા તેજપ્રતાપ યાદવે પોતાની ઑફિસમાં એક મહિલાને આપી પનાહ, કોને અને કેમ, વાંચો આખી ખબર

|

Jan 01, 2019 | 7:39 AM

લાલૂ યાદવના મોટા દીકરા તેજપ્રતાપ યાદવ રાજકારણમાં ધીરે ધીરે પોતાની પકડ મજબૂત બનાવી રહ્યાં છે. દરરોજ કંઈ ને કંઈ એવું કરે છે જેના કારણે તેઓ ચર્ચામાં રહે છે. જનતા દરબારમાં તેમણે એક એવો નિર્ણય લીધો જેને જોઈએ ત્યાં હાજર લોકો આશ્વર્યમાં પડી ગયા. એક મહિલાને તેજપ્રતાપના દરબારમાં મદદની અપીલ કરી હતી. એ મહિલાનું ઘર તોડી […]

પિતા લાલુપ્રસાદ યાદવથી બગાવત કરનારા તેજપ્રતાપ યાદવે પોતાની ઑફિસમાં એક મહિલાને આપી પનાહ, કોને અને કેમ, વાંચો આખી ખબર

Follow us on

લાલૂ યાદવના મોટા દીકરા તેજપ્રતાપ યાદવ રાજકારણમાં ધીરે ધીરે પોતાની પકડ મજબૂત બનાવી રહ્યાં છે. દરરોજ કંઈ ને કંઈ એવું કરે છે જેના કારણે તેઓ ચર્ચામાં રહે છે.

જનતા દરબારમાં તેમણે એક એવો નિર્ણય લીધો જેને જોઈએ ત્યાં હાજર લોકો આશ્વર્યમાં પડી ગયા. એક મહિલાને તેજપ્રતાપના દરબારમાં મદદની અપીલ કરી હતી.

એ મહિલાનું ઘર તોડી પડાયું હતું. તે મહિલાએ કહ્યું હતું કે પ્રશાસને તેનું ઘર તોડી નાખ્યું છે. આ ફરિયાદ પર પહેલા તો તેજપ્રતાપે મહિલાને કહ્યું કે ભલે તમારું ઘર ગેરકાયદે હતું પણ હું પ્રશાસન સાથે વાત કરીશ.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

આ સાથે જ જ્યારે મહિલાએ આખી રાત રસ્તા પર પસાર કરવાની વાત કરી તો તેજપ્રતાપ ભાવુક થઈ ગયા અને તેમણે પાર્ટી ઓફિસમાં જ મહિલાને રહેવા માટે ઝૂંપડી બનાવવાની પરવાનગી આપી દીધી.

તેજપ્રતાપ યાદવ પાછલા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. અને દરરોજ જનતા દરબાર લગાવે છે. તેજપ્રતાપના આ નિર્ણયથી મહિલા ઘણી ખુશ થઈ ગઈ. તેજપ્રતાપ યાદવ ઘણાં દિવસો સુધી રાજકારણથી દૂર રહ્યા અને હવે જબરદસ્ત રીતે પાછા ફર્યાં છે. સાથે જ નેતાઓના નિવેદનો પર પણ જમકે પલટવાર કરી રહ્યાં છે.

કાલે જનતા દરબારમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીના એ નિવેદન અંગે બોલ્યા કે જેમાં તેમણે નક્સલીઓને ભાઈ કહ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે જે વ્યક્તિ સામાન્ય લોકોનો નથી તે કેવી રીતે આપણા ભાઈ થઈ શકે.

આ પણ વાંચો: કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે અમદાવાદના રસ્તાઓ પર ગળે ફાંસીનો ગાળિયો લગાવીને ફર્યા, પણ કેમ, જુઓ VIDEO

માંઝીના નિવેદન પર તેજપ્રતાપ યાદવે પલટવાર કરતા કહ્યું,

“નક્સલીઓ સાથે જો પ્રેમથી વાત કરવી જોઈએ તો કેમ માંઝી પહેલ નથી કરતા. માત્ર બોલવાથી કંઈ ન થાય. ભાઈની ફરજ પણ નિભાવવાની હોય. જો નક્સલી ભાઈ છે તો કેમ સામાન્ય લોકોથી લઈને નેતાઓ અને ઓફિસર્સને મારે છે. ભાઈ કોઈ દિવસ કોઈનો જીવ ન લે.”

[yop_poll id=421]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 7:39 am, Tue, 1 January 19

Next Article