SURAT : એક સમયે પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ધાર્મિક માલવિયાએ રાજકારણમાં એન્ટ્રી કરી લીધી છે. ધાર્મિક માલવિયાને કૉંગ્રેસમાંથી ટિકિટ મળતા તેઓ અનોખી રીતે ફોર્મ ભરવા નીકળ્યા હતા. ધાર્મિક માલવિયા બળદગાડામાં સવારી કરીને ફોર્મ ભરવા નીકળ્યા હતા. ફોર્મ ભરતા પહેલા તેમણે વરાછામાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા હતા.
Published On - 3:03 pm, Sat, 6 February 21