SURAT : કોંગ્રેસે પાસની પીઠમાં ખંજર ભોંક્યુ છે, કહ્યું પાસ કન્વિનર ધાર્મિક માલવિયાએ

|

Mar 01, 2021 | 7:01 PM

SURAT : કોંગ્રેસમાં હાર્દિક પટેલને નાની ઉંમરે મળેલા સ્થાનથી કેટલાક નેતાઓના પેટમાં તેલ રેડાયું છે. આ નિવેદન કર્યું છે પાસ કન્વિનર ધાર્મિક માલવિયાએ.

SURAT : કોંગ્રેસમાં હાર્દિક પટેલને નાની ઉંમરે મળેલા સ્થાનથી કેટલાક નેતાઓના પેટમાં તેલ રેડાયું છે. આ નિવેદન કર્યું છે પાસ કન્વિનર ધાર્મિક માલવિયાએ. ધાર્મિક માલવિયાએ કોંગ્રેસ પર PAASની પીઠમાં ખંજર ભોંકવાનો આરોપ લગાવ્યો. અને PAAS સાથે થયેલા અન્યાયનું માઠું પરિણામ કોંગ્રેસે સુરત મનપાના પરિણામો દ્વારા ભોગવ્યું હોવાનો દાવો કર્યો. જોકે ધાર્મિક માલવિયાનું માનવું છે કે AAPમાં જોડાવું કે નહીં તેનો જવાબ હાર્દિક પટેલ જ આપી શકે છે. મહત્વપૂર્ણ છે કે PAAS સાથે થયેલા અન્યાયથી કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલ નારાજ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.અને હાર્દિક કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવી અફવાએ પણ જોર પકડ્યું છે. ત્યારે આવો સાંભળીએ શું કહી રહ્યા છે ધાર્મિક માલવિયા.

 

 

 

Published On - 7:01 pm, Mon, 1 March 21

Next Video