શત્રુઘ્ન સિન્હા પોતાના કટાક્ષને લઈને જાણીતા છે અને તેમને પોતાની સરકાર એટલે કે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. આમ પોતાની સરકાર પર પ્રહાર કરવાથી ભાજપે આ વખતે તેમને ટિકીટ ન આપીને પાણીચું પકડાવી દીધું હતુ. હવે તેમના પત્ની પુનમ સિંહાનું નામ ચર્ચામાં છે.
એવી અટકળો સેવાઈ રહી છે લખનઉની સીટ પર કોંગ્રેસ પોતાનો ઉમેદવાર જ ઉભો નહીં રાખે. આમ સીધો જ મુકાબલો સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે થશે. જેમાં ભાજપમાંથી રાજનાથ સિંહ તો લડી રહ્યાં જ છે અને હવે તેની સામે ટક્કર આપવા સમાજવાદી પાર્ટી શત્રુઘ્ન સિન્હાની પત્ની પુનમ પાંડેને મેદાનમાં ઉતારવાની ફિરાકમાં છે. શત્રુઘ્ન સિન્હા 6 એપ્રિલના રોજ કોંગ્રેસમાં વિધિવત સામેલ થઈ જશે. તેમને પટના સાહેબથી ટિકીટ મળે તેવી અટકળો છે. પુનમ સિન્હાને મેદાનમાં ઉતારીને સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ રાજનાથસિંહને ઘેરવા માગે છે જેથી કરીને આ સીટ પર આસાનીથી કબજો કરી શકાય.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]