સાસણગીરના જંગલોમાં રેલવે લાઇન રુપાંતરણને લઇ રાજ્યસભાનાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. રેલવે લાઇન મીટર ગેજમાંથી બ્રોડગેજમાં કરવા બદલ પરિમલ નથવાણીએ વિરોધ કર્યો છે. પરિમલ નથવાણીએ વડાપ્રધાન, મુખ્યપ્રધાન અને પર્યાવરણ પ્રધાનને પત્ર લખી પોતાની વાત રજૂ કરી છે. ઉલ્લેખનીય છે કે નથવાણીનું કહેવું છે કે રેલવે લાઇન બ્રોડગેજ કરવાથી સિંહો પર સંકટ વધશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો