સીબીઆઈએ અરજીમાં કોર્ટને નિવેદન કર્યુ હતું કે તે રાજીવ કુમારને તપાસમાં સહકાર આપવાનો નિર્દેશ આપે. સાથે જ સીબીઆઈએ રાજીવ કુમાર અત્યાર સુધી થયેલી તપાસમાં સાથ ન આપતા હોવાનો આરોપ લગાવ્યો.
સીબીઆઈએ આરોપ લગાવ્યો કે રાજીવ કુમારે સારદા ચિટફંડ કૌભાંડમાં પુરાવા નષ્ટ કર્યા છે. તેના પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું, ‘જો કોલકાતા પોલીસ કમિશનરે પુરાવા નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે, તો તેની સાથે જોડાયેલા સાક્ષ્ય અમારી સામે લાવવામાં આવે. એવી કાર્યવાહી થશે કે તેમને (રાજીવ કુમારને) પસ્તાવું પડશે.’
નોંધનીય છે કે પોતાની અરજીમાં સીબીઆઈએ કહ્યુ હતું કે કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારને ઘણી વાર સમન મોકલાયું, પણ તેમના તરફથી તપાસમાં કોઈ સહકાર નથી આપવામાં આવી રહ્યા હતાં અને તેઓ તપાસમાં વિઘ્નો પણ પેદા કરી રહ્યા હતાં.
[yop_poll id=1060]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 6:31 am, Mon, 4 February 19