કેન્દ્રીય કૃષિ કાયદા પાછા ખેંચવા અને લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની માંગ માટે આંદોલન કરી રહેલા ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈતે નિવેદન આપ્યું છે. કહ્યું કે સરકારે એમએસપી માટે તેના પિતા મહેન્દ્ર ટિકૈટનો ફોર્મ્યુલો લાગુ કરવો જોઈએ. જે અંતર્ગત 3 ક્વિન્ટલ ઘઉંનો ભાવ 1 તોલા સોના જેટલો હોવો જોઈએ. તમને જણાવી દઈએ કે, 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત આશરે 48 હજાર રૂપિયા છે, જ્યારે ઘઉંના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ 1975 રૂપિયા છે.
એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં રાકેશ ટિકૈતે કહ્યું કે સરકારે એમએસપીમાં તેના પિતા મહેન્દ્રસિંહ ટિકૈતે આપેલ ફોર્મ્યુલા લાગુ કરવો જોઈએ. તેણે કહ્યું, “1967 માં ભારત સરકારે ઘઉંના એમએસપી કિંમત 76 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરી હતો, ત્યારે પ્રાથમિક શાળાના શિક્ષકોનો પગાર મહિને 70 રૂપિયા હતો. તેઓ પોતાના મહિનાના પગારથી 1 ક્વિન્ટલ ઘઉં ખરીદી શકતા નહોતા. એ સમયે એક કવિન્ટલ ઘઉંની કિંમતથી અઢી હજાર ઇંટો આવતી. ત્યારે 30 રૂપિયાની 1 હજાર ઇંટો હતી.”
ઉપરાંત ટિકૈતે જણાવ્યું કે ત્યારે સોનાનો ભાવ 200 રૂપિયા પ્રતિ તોલા હતો. જે ત્રણ ક્વિન્ટલ ઘઉં બરાબર હતો. ટિકૈતે કહ્યું “અમને અત્યારે એક ક્વિન્ટલ ઘઉં સામે 1 તોલો સોનું આપી ડો. જેટલો ભાવ અન્યું વસ્તુઓનો વધ્યો છે એટલો ઘઉંનો પણ વધવો જોઈએ”
જ્યારે સોનાના ભાવની તુલના કરવામાં આવે ત્યારે ટિકૈટની માંગ પ્રમાણે 1 ક્વિન્ટલ ઘઉંની કિંમત આશરે 16 હજાર રૂપિયા થાય છે. જે અત્યારના ભાવ કરતા 8 ગણો વધારે છે. આ અનુસાર એક કિલો ઘઉંની કિંમત આશરે 160 રૂપિયા હોવી જોઈએ.
જાહેર છે કે ટિકૈત કૃષિ કાનુન અટકાવવાની માંગ પર અડેલા છે. સાથે જ MSPમાં પણ નવા કાનુનની માંગ કરી રહ્યા છે. ટિકૈત અત્યારે અંદોલનનો મુખ્ય ચહેરો જણાઈ રહ્યા છે.