Rahul Gandhi આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર લોકસભામાં બોલશે

|

Feb 09, 2021 | 9:25 AM

રાષ્ટ્રપતિના અભિભાષણ પર આજે રાહુલ ગાંધી લોકસભામાં બોલશે, તો આવતીકાલે PM મોદી લોકસભામાં જવાબ આપશે. આ દરમિયાન ખેડૂતોના મુદ્દા પર PM મોદી શું બોલે છે, તે ઘણું મહત્વનું હશે.

રાષ્ટ્રપતિના અભિભાષણ પર આજે રાહુલ ગાંધી લોકસભામાં બોલશે, તો આવતીકાલે PM મોદી લોકસભામાં જવાબ આપશે. આ દરમિયાન ખેડૂતોના મુદ્દા પર PM મોદી શું બોલે છે, તે ઘણું મહત્વનું હશે. એવામાં આજે સભાના માહોલ પર સૌની નજર રહેશે. આ પહેલા ગઇકાલે રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને આંદોલન પૂર્ણ કરવાની અપીલ કરી. PM મોદીએ કહ્યું કે, MSP હતી, છે અને રહેશે. દિલ્લી બોર્ડર પર ખેડૂતોના આંદોલનને 75 દિવસ થઇ ચૂક્યા છે, ત્યારે સોમવારે રાજ્યસભામાં 75 મિનિટની અંદર વડાપ્રધાને સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે, નવા કૃષિ કાયદાઓને પરત લેવામાં નહીં આવે અને કૃષિ કાયદાઓ પર વિશ્વાસ અપાવવો એ જ સરકારનો ઇરાદો છે.

Next Video