પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના (BJP) મહા સચિવ કૈલાશ વિજયવર્ગીયના પુત્ર આકાશ વિજયવર્ગીયને સલાહ આપી છે. ઈંદોરના BJP ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયએ નગર નીગમના અધિકારીને ખુબ માર માર્યો હતો અને તેનો VIDEO પણ સામે આવ્યો હતો. આ મામલે PM મોદીએ કહ્યું કે ” કોઈનો પણ પુત્ર હોય આવુ વર્તન સહન નહીં કરવામાં આવે, આવા લોકો પાર્ટીમાંથી બહાર થવા જોઈએ “.
આ પણ વાંચો: IND vs BAN મેચમાં વરસાદ પડવાની કેટલી સંભાવના?,જાણો હવામાનની સ્થિતિ
વડા પ્રધાને મંગળવારે BJPની સંસદીય દળની બેઠકમાં આ વાત કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતુ કે ” જે લોકોએ આ વર્તનનુ સ્વાગત કર્યું છે તેઓ પણ પાર્ટીમાંથી બહાર થાવા જોઈએ”.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
26મી જૂનના રોજ આકાશ વિજયવર્ગીય ઇન્દોરમાં એક જર્જરીત મકાનને તોડવા આવેલા કોર્પોરેશનને કર્માચારીની કાર્યવાહી પર ભડકયા. ત્યારબાદ તેમણે ક્રિકેટના બેટથી કોર્પોરેશનના અધિકારીને માર માર્યો હતો. આ કેસમાં તેમની ધરપકડ કરી લેવાઇ હતી અને જેલ પણ જવું પડ્યું હતું. જો કે રવિવારના રોજ આકાશને જામીન પર છોડી દેવામાં આવ્યો હતા.
[yop_poll id=”1″]
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 7:18 am, Tue, 2 July 19