કોરોનાની બીક ક્યાં તો જતી રહી છે અથવા તો પોતાના કામ માટે કોરોનાનાં જાહેરનામાને ઘોળીને પી જતા રાજકીય નેતાઓ સામે હવે જનતા જ સવાલ ઉભા કરી રહી છે. વાત નવસારીની કે જ્યાં નવસારી ભાજપે એક રાજકીય કાર્યક્રમ જ યોજી નાખ્યો. ખેરગામના વાડ ગામે બાપા સીતારામ મઢુલી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જાહેરનામુ હોવા છતા કાર્યક્રમમાં અંદાજે 300 માણસોની સભા પણ કરવામાં આવી હતી અને જેમાં સભામાં પ્રદેશ મહામંત્રી સહિત ભાજપી ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. જો કે આ મુદ્દે વાત એટલી છે કે નેતાઓ કરે તે લીલા અને પ્રજા કરે તો ભંગ.
Published On - 11:51 am, Sat, 18 July 20