સમગ્ર દેશમાં રાજકીય માહોલ ગરમાયો છે અને ઉમેદવારની પસંદગી માટે મિટિંગના દોર શરૂ થયા છે. નવસારી લોકસભા માટે નવસારી કમલમ ખાતે પ્રદેશ પ્રભારી ઓમ માથુર અને ગુજરાત પ્રદેશ પ્રમુખની હાજરીમાં કારોભારીઓ વચ્ચે બેઠક યોજાયી હતી. જેમાં નવસારી લોકસભાને લઈ ચર્ચાઓ થઈ હતી. નવસારી શહેર અને જિલ્લાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ કૉંગ્રેસના જવાહર ચાવડાના ભાજપમાં પ્રવેશને કૉંગ્રેસની નીતિ-રીતિ ના કારણે થઈ રહ્યું હોવાનું તેમજ કૉંગ્રેસની નિષ્ફળતાની નિશાની ગણાવી હતી. જ્યારે હાર્દિક પટેલના જવાથી ભાજપને કોઈ નુકસાન ન થઈ શકે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]