Gujarati NewsPoliticsNarmada water drinkable or not on this issue water department officers different view narmadanu pani pivalayak chhe ke nhi te ange pani purvathana adhikario vache j matbhed juo video
‘નર્મદાનું પાણી પીવાલાયક છે કે નહીં’ તે અંગે પાણી-પુરવઠા વિભાગના અધિકારીઓ વચ્ચે જ છે મતભેદ, સ્થાનિક અધિકારીના નિવેદન પર અપાયો તપાસનો આદેશ!
નર્મદા સરોવરમાંથી મૃત હાલતમાં માછલાં મળી આવતાં હવે દહેશતનો માહોલ ફેલાવાની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લાં ચાર દિવસથી મૃત માછલાં મળી આવવાનો મામલો એટલી હદે ગરમાયો છે કે સ્થાનિક તંત્રના અધિકારીએ કહી દીધું કે નર્મદાનું પાણી જ પીવાલાયક નથી. TV9 Gujarati Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ […]
Follow us on
નર્મદા સરોવરમાંથી મૃત હાલતમાં માછલાં મળી આવતાં હવે દહેશતનો માહોલ ફેલાવાની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લાં ચાર દિવસથી મૃત માછલાં મળી આવવાનો મામલો એટલી હદે ગરમાયો છે કે સ્થાનિક તંત્રના અધિકારીએ કહી દીધું કે નર્મદાનું પાણી જ પીવાલાયક નથી.
આજ કારણોસર દોઢ દિવસ સુધી નર્મદાની આસપાસના 138 જેટલા ગામડાંઓને પાણી પણ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું. હદ તો ત્યારે થઈ જ્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને પુછવામાં આવ્યું ત્યારે પાણી બંધ કરી દેવામાં આવ્યું છે તે બાબતની જાણ જ નહોતી. એથી પણ વિશેષ પીવા માટે પાણી અયોગ્ય છે તેવા સ્થાનિક અધિકારીના નિવેદન બાબતે તો વિભાગના અધિકારીઓ દોડતાં થઈ ગયા.
આમ આખી વાત પર સ્થાનિક અધિકારીએ કદાચ સાચો ફોડ પાડી દીધો હોય તેમ લાગ્યું બીજી તરફ સમગ્ર મામલે તંત્રએ ફેરવી તોળ્યું હોય એમ સાચી વાત રજુ કરનારા અધિકારી પાસે જ કોના કહેવાથી નિવેદન કર્યું ? અને કોના કહેવાથી પાણી આપવાનું બંધ કર્યું ? એ બાબતે ખુલાસો માગવાના હુકમો કરી દેવાયા છે.