ગુજરાતના 300થી વધુ ખેડૂતો દિલ્લીમાં, અન્ય ખેડૂતોને સિંધુ બોર્ડર મોકલાશે : પાલ આંબલિયા

|

Dec 20, 2020 | 7:18 PM

ગુજરાતના ખેડૂતોને સિંધુ બોર્ડર પર ચાલી રહેલા આંદોલનમાં મોકલવા માટે કૉંગ્રેસે પ્લાન ઘડી કાઢ્યો છે. કૉંગ્રેસ કિસાન સેલના નેતા પાલ આંબલિયાએ કહ્યું કે ગુજરાતના તમામ જિલ્લામાંથી 10-10 ખેડૂત સિંધુ બોર્ડર પર લઈ જવાનું આયોજન કરવામાં આવશે. આંબલિયાએ કહ્યું કે ખેડૂતો પોતાની માંગને લઈ મક્કમ છે. કેન્દ્રીય કૃષિ કાયદા ખેડૂતો માટે નુક્સાનકારક છે અને આ માટે […]

ગુજરાતના 300થી વધુ ખેડૂતો દિલ્લીમાં, અન્ય ખેડૂતોને સિંધુ બોર્ડર મોકલાશે : પાલ આંબલિયા

Follow us on

ગુજરાતના ખેડૂતોને સિંધુ બોર્ડર પર ચાલી રહેલા આંદોલનમાં મોકલવા માટે કૉંગ્રેસે પ્લાન ઘડી કાઢ્યો છે. કૉંગ્રેસ કિસાન સેલના નેતા પાલ આંબલિયાએ કહ્યું કે ગુજરાતના તમામ જિલ્લામાંથી 10-10 ખેડૂત સિંધુ બોર્ડર પર લઈ જવાનું આયોજન કરવામાં આવશે. આંબલિયાએ કહ્યું કે ખેડૂતો પોતાની માંગને લઈ મક્કમ છે. કેન્દ્રીય કૃષિ કાયદા ખેડૂતો માટે નુક્સાનકારક છે અને આ માટે કૃષિપ્રધાન સાથે જાહેરમાં ચર્ચા કરવાનો પણ તેમણે પડકાર ફેંક્યો છે. મહત્વનું છે કે દિલ્લી ખેડૂત આંદોલનમાં ગુજરાતના ખેડૂત આગેવાનો ન પહોંચે તે માટે પોલીસે કેટલાકને નજર કેદ કર્યા હોવાના પાલ આંબલિયાએ આક્ષેપ કર્યા હતા. સાથે જ તેમણે કૃષિપ્રધાનની ચેલેન્જનો પડકાર ઝીલતા ફરીથી જાહેરમાં ચર્ચા કરવાનો રાગ આલાપ્યો હતો. અને જો કૃષિપ્રધાન ચર્ચા કરવા ન માગતા હોય તો રાજીનામું આપવા તૈયાર રહેવાની ચીમકી ઉચ્ચારી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

Next Article