Maharashtra : જનસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મહારાષ્ટ્રની સરકાર પર નિશાન સાધ્યું. ખાસ કરીને એનડીએના જૂના સાથી શિવસેનાને આડેહાથ લીધી. અમિત શાહેને લોકોને સંબોધતા કહ્યું કે, શિવસેનાએ મહારાષ્ટ્રની જનતાએ આપેલા જનાદેશનું અપમાન કર્યું. અમે ક્યારેય એક રૂમમાં રાજનીતિ નથી કરતા જે કરીએ છીએ તે ડંકાની ચોટ પર કહીએ છીએ. કોઈ વાયદા કે કોઈ વાત થઈ જ ન હતી. અમે ક્યારેય વાયદાઓથી ફર્યા નથી. બિહારની ઉદાહરણ આપતા અમિત શાહે ક્હ્યું કે, નીતિશ કુમારને અમે સીએમ બનાવવાનો વાયદો કર્યો હતો. જેડીયુની ભાજપ કરતા ઓછી બેઠકો આવવા છતા નીતિશને સીએમ બનાવ્યા.
Published On - 5:51 pm, Sun, 7 February 21