ઓપરેશન બાલાકોટ પર ગૃહમંત્રી રાજનાથ સિંહે ઈન્દિરા ગાંધી સાથે કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના

હરિદ્વારમાં ચૂંટણીની સભામાં સંબોધન કરતા ગૃહમંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના ઈન્દિરા ગાંઘી સાથે કરી હતી. તેમને સભામાં સંબોધન કરતા કહ્યું કે 1971માં ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનને કારમો પરાજય આપ્યો હતો, તે સમયે અટલ બિહારી વાજપેયીએ સાંસદમાં ઉભા થઈને તેમની પ્રશંસા કરી હતી. જો પાકિસ્તાનને પરાજય કર્યા પછી ઈન્દિરા ગાંધીની પ્રશંસા થઈ શકે છે તો […]

ઓપરેશન બાલાકોટ પર ગૃહમંત્રી રાજનાથ સિંહે ઈન્દિરા ગાંધી સાથે કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના
Rajnath Singh. (File Photo: IANS)
| Updated on: Apr 01, 2019 | 3:53 PM

હરિદ્વારમાં ચૂંટણીની સભામાં સંબોધન કરતા ગૃહમંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના ઈન્દિરા ગાંઘી સાથે કરી હતી.

તેમને સભામાં સંબોધન કરતા કહ્યું કે 1971માં ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનને કારમો પરાજય આપ્યો હતો, તે સમયે અટલ બિહારી વાજપેયીએ સાંસદમાં ઉભા થઈને તેમની પ્રશંસા કરી હતી. જો પાકિસ્તાનને પરાજય કર્યા પછી ઈન્દિરા ગાંધીની પ્રશંસા થઈ શકે છે તો પાકિસ્તાનને સબક શિખવાડવા પર મોદીજીની પ્રશંસા કેમ નથી થઈ શકતી?

TV9 Gujarati

 

પણ કોંગ્રેસના લોકોને વિરોધ છે અને કહી રહ્યા છે કે કેટલા લોકોને ઠાર કર્યા? વીર લોકો મૃતદેહો નથી ગણતા. વધુમાં ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના કોઈ પણ મંત્રીની વિરૂધ્ધ ભ્રષ્ટાચારનો આરોપ નથી. ત્યારે કોંગ્રેસને ભાજપ પાસેથી શીખવુ જોઈએ કે સરકાર કેવી રીતે ચલાવી શકાય છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]