પેટાચૂંટણીના જંગ પૂર્વે રાજકારણ ગરમાયું છે ત્યારે પક્ષપલટું નેતાઓ અંગે મોટું નિવેદન આપતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું કે હવે પછી કોંગ્રેસના કોઇપણ MLAને ભાજપ હવે પાર્ટીમાં સામેલ નહીં કરે વધુમાં સીં.આર.પાટીલે કહ્યું કે કોંગ્રેસ છોડીને જે પણ નેતાઓ ભાજપમાં આવ્યા છે તે તમામ નેતાઓ તેમના કાર્યકાળ પહેલાના છે. ઉલ્લેખનીય છે કે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પક્ષપલટું નેતાઓની તુલના ગદ્દારો સાથે કરી છે અને કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયામાં જયચંદોને જનતા જાકારો આપશે તે દિશામાં મુહિમ પણ ચલાવવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો