દિલ્હી સરકાર VS એલજી : સુપ્રીમ કોર્ટનો કેજરીવાલ સરકારને આંચકો, ACB કેન્દ્ર સરકારને આધીન જ રહેશે, બીજા મુદ્દાઓ પર જજો ગૂંચવાતા મામલો મોટી બેંચમાં

|

Feb 14, 2019 | 7:55 AM

દિલ્હી સરકાર વર્સિસ ઉપ રાજ્યપાલ (કેન્દ્ર) કેસમાં સુપ્રીમ કોર્ટ (SC)એ કેજરીવાલ સરકારને આંચકો આપ્યો છે. TV9 Gujarati   Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની […]

દિલ્હી સરકાર VS એલજી : સુપ્રીમ કોર્ટનો કેજરીવાલ સરકારને આંચકો, ACB કેન્દ્ર સરકારને આધીન જ રહેશે, બીજા મુદ્દાઓ પર જજો ગૂંચવાતા મામલો મોટી બેંચમાં

Follow us on

દિલ્હી સરકાર વર્સિસ ઉપ રાજ્યપાલ (કેન્દ્ર) કેસમાં સુપ્રીમ કોર્ટ (SC)એ કેજરીવાલ સરકારને આંચકો આપ્યો છે.

TV9 Gujarati

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સુપ્રીમ કોર્ટે એંટી કરપ્શન બ્યૂરો (ACB)ને કેન્દ્રને આધીન રાખવાનો ચુકાદો આપ્યો છે. જોકે રાષ્ટ્રીય પાટનગર વિસ્તાર (NCR)માં સેવાઓ પર નિયંત્રણ કોની પાસે છે, તેના પર એસસીના બે જજોનો અભિપ્રાય જુદો-જુદો રહ્યો. તેથી એસસીએ એનસીઆરમાં સેવાોના નિયંત્રણ પર પોતાનો ખંડિત ચુકાદો મોટી બેંચ પાસે મોકલી દીધો. જોકે એસસીની બે સભ્યોની બેંચ એસીબી, મહેસુલ, તપાસ પંચ અને લોક અભિયોજકની નિમણુક મુદ્દે સંમત થઈ.

સુપ્રીમ કોર્ટે કેન્દ્રના તે જાહેરનામાને જાળવી રાખ્યું છે કે દિલ્હી સરકારની એસીબી ભ્રષ્ટાચારના કેસોમાં તેના કર્મચારીઓની તપાસ નથી કરી શકતી. એસીબી કેન્દ્રને આધીન રહેશે, કારણ કે પોલીસ કેન્દ્ર પાસે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકાર પાસે તપાસ પંચ નિમણૂક કરવાનો અધિકાર રહેશે. ચુકાદા હેઠળ પબ્લિક પ્રૉસીક્યુટરની નિયુક્તિનો અધિકાર દિલ્હી સરકાર પાસે રહેશે. મહેસુલ પર ઉપ રાજ્યપાલ (LG)ની સંમતિ લેવી પડશે. ઇલેક્ટ્રિસિટી મામલે ડાયરેક્ટરની નિયુક્તિ મુખ્યપ્રધાન (CM) પાસે રહેશે.

જસ્ટિસ સીકરીએ પોતાના ચુકાદામાં કહ્યું કે ગ્રેડ 1 અને ગ્રેડ 2ના અધિકારીઓના ટ્રાંસફર તથા પોસ્ટિંગ કેન્દ્ર સરકાર કરશે, જ્યારે ગ્રેડ 3 અને ગ્રેડ 4ના અધિકારીઓના ટ્રાંસફર તથા પોસ્ટિંગનો મામલો દિલ્હી સરકારને આધીન રહેશે. જો કોઈ મતભેદ થાય, તો મામલો રાષ્ટ્રપતિ પાસે જશે. બે જજોની બેંચમાં સામેલ જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે સેવાઓ કેન્દ્ર પાસે રહેશે. આમ બંને જજોનો અભિપ્રાય જુદા-જુદો રહ્યો.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જમીન સાથે જોડાયેલા મામલાઓ દિલ્હી સરકારના નિયંત્રણમાં રહેશે. તે મુજબ દિલ્હી સરકાર જમીનોના રેટ અને વળતરની રકમ નક્કી કરી શકે છે. દિલ્હી સરકારને રાહત મળી છે કે જમીનોનું સર્કલ સીએમ ઑફિસના કંટ્રોલમાં રહેશે.

[yop_poll id=1407]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 7:54 am, Thu, 14 February 19

Next Article