JUNAGADH : કેશોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનના એક દિવસ પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે. નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખે રાજીનામું આપ્યું છે. કેશોદ પાલિકાના પ્રમુખ યોગેશ સાવલિયાએ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધુ છે. તેમના લાગતા-વળગતાને ટિકિટ ન આપતા તેઓ સ્થાનિક ભાજપ સંગઠન સામે નારાજ હતા. જેથી તેમણે રાજીનામું આપ્યું છે. અને શહેર ભાજપના નવા સંગઠનના હોદ્દેદારો દ્વારા ટિકિટ વહેંચણીની પ્રક્રિયામાં ગોલમાલ કરાઈ હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.
Published On - 7:09 pm, Sat, 27 February 21