વિજય માલ્યા 2016થી બ્રિટનમાં છે. લગભગ 2 મહિના પહેલા લંડનની એક નિચલી કોર્ટે માલ્યાના પ્રત્યર્પણને મંજૂરી આપી હતી. અદાલતી ચુકાદા બાદ બ્રિટનના ગૃહ પ્રધાને તેના પર નિર્ણય કરવાનો હતો.
બ્રિટનના ગૃહ પ્રધાન સાજિદ વાજિદે હવે માલ્યાના પ્રત્યર્પણને મંજૂરી આપી દીદી છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, ‘ગૃહ પ્રધાને તમામ બાબતો પર સાવધાનીથી ગોર કર્યા બાદ 3 ફેબ્રુઆરીએ માલ્યાના ભારત પ્રત્યર્પણના આદેશ પર સહી કરી દીધી.’
After the decision was handed down on December 10,2018 by the Westminster Magistrates Court, I stated my intention to appeal. I could not initiate the appeal process before a decision by the Home Secretary. Now I will initiate the appeal process.
— Vijay Mallya (@TheVijayMallya) February 4, 2019
માલ્યાએ લખ્યું છે, ‘નિચલી કોર્ટના 10 ડિસેમ્બ, 2018ના ચુકાદા બાદ જ મેં તેને પડકારવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પણ ગૃહ પ્રધાનના ચુકાદા પહેલા હું અપીલની કાર્યવાહી નહોતો કરી શકતો. હવું હું અપીલની કાર્યવાહી કરીશ.’
બ્રિટિશ ગૃહ પ્રધાનની લીલી ઝંડી છતાં વિજય માલ્યાને ભારત લાવવો લોઢાના ચણા ચાવવા જેટલું પડકારજક છે, કારણ કે માલ્યા સૌપ્રથમ પ્રત્યર્પણની મંજૂરીના આદેશને 14 દિવસની અંદર પડકારી શકે છે.
માલ્યા પાસે પ્રથમ વિકલ્પ છે કે તે પ્રથમ અપીલ હાઈકોર્ટમાં કરે, જો હાઈકોર્ટમાં અપીલ ફગાવી દેવાય, તો સુપ્રીમ કોર્ટમાં જઈ શકે.
ઝાઈવાલા એંડ કંપની લીગલ ફર્મના સંસ્થાપક સરોશ ઝાઈવાલાએ બીબીસી સાથે વાત કરતા આખી પ્રક્રિયા સમજાવી કે જેના મુજબ માલ્યાને ભારત લાવવાનું કામ ભારતમાં બનનારી નવી સરકાર જ કરી શકશે.
ઝાઈવાલાએ જણાવ્યું, ‘જો વિજય માલ્યાની કોર્ટ ઑફ અપીલ (ભારતમાં હાઈકોર્ટની જેમ)માં સ્વીકારાઈ જાય, તો સુનવણી પૂરી થવામાં લગભગ 5-6 મહિના લાગી શકે છે. જો માલ્યા અહીં કેસ હારી જાય અને બ્રિટિશ સુપ્રીમ કોર્ટમાં જાય, તો સુપ્રીમ કોર્ટમાં સુનવણી થવામાં ઘણા મહિના કે વર્ષ પણ લાગી શકે છે.’
[yop_poll id=1085]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]