ભારતના પ્રથમ અને એકમાત્ર IIT સ્નાતક મુખ્યપ્રધાન જીવન-મરણ વચ્ચે ખાઈ રહ્યા છે ઝોલા, અત્યંત નાજુક હાલક હોવા છતાં કહ્યું, ‘માનવ મસ્તિષ્ક કોઈ પણ બીમારી પર વિજય પામી શકે છે’

આપણા દેશમાં હાલમાં 31 રાજ્યોમાં મુખ્યપ્રધાનો છે, પરંતુ જે લાયકાત મનોહર પર્રિકર પાસે છે, તે કોઈ પણ મુખ્યપ્રધાન પાસે નથી. ગોવાના મુખ્યપ્રધાન મનોહર પર્રિકર IIT સ્નાતક છે. તેઓ ભારતના એવા પહેલા અને એકમાત્ર મુખ્યપ્રધાન છે કે જેઓ આઈઆઈટી સ્નાતક છે. તેમણે આઈઆઈટી મુંબઈથી આ સ્નાતક કર્યું છે. સંસ્થાએ 2001માં તેમને વિશિષ્ટ ભૂતપૂર્વ વિદ્યાર્થીની ઉપાધિ પણ […]

ભારતના પ્રથમ અને એકમાત્ર IIT સ્નાતક મુખ્યપ્રધાન જીવન-મરણ વચ્ચે ખાઈ રહ્યા છે ઝોલા, અત્યંત નાજુક હાલક હોવા છતાં કહ્યું, ‘માનવ મસ્તિષ્ક કોઈ પણ બીમારી પર વિજય પામી શકે છે’
| Updated on: Feb 05, 2019 | 5:30 AM

આપણા દેશમાં હાલમાં 31 રાજ્યોમાં મુખ્યપ્રધાનો છે, પરંતુ જે લાયકાત મનોહર પર્રિકર પાસે છે, તે કોઈ પણ મુખ્યપ્રધાન પાસે નથી.

ગોવાના મુખ્યપ્રધાન મનોહર પર્રિકર IIT સ્નાતક છે. તેઓ ભારતના એવા પહેલા અને એકમાત્ર મુખ્યપ્રધાન છે કે જેઓ આઈઆઈટી સ્નાતક છે. તેમણે આઈઆઈટી મુંબઈથી આ સ્નાતક કર્યું છે. સંસ્થાએ 2001માં તેમને વિશિષ્ટ ભૂતપૂર્વ વિદ્યાર્થીની ઉપાધિ પણ પ્રદાન કરી હતી.

દેશના સંરક્ષણ પ્રધાન રહી ચુકેલા અને હાલમાં ગોવાના મુખ્યપ્રધાન મનોહર પર્રિકર હાલમાં કૅંસર જેવી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે અને તેઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે.

ગોવા વિધાનસભા ઉપાધ્યક્ષ મિશેલ લોબોએ કહ્યું છે કે દિલ્હીની AIMS હૉસ્પિટલમાં દાખલ પર્રિકરની હાલત બહુ વધારે ખરાબ છે અને તેઓ ઈશ્વરના આશીર્વાદ પર જીવી રહ્યા છે.

લોબોએ કહ્યું, ‘મનોહર પર્રિકરને જે બીમારી છે, તેનો કોઈ ઇલાજ નથી. જ્યાં સુધી તેઓ મુખ્યપ્રધાન છે, ત્યાં સુધી કોઈ રાજકીય સંકટ નથી, પરંતુ જો તેઓ આરોગ્યને લઈને રાજીનામુ આપે અથવા તેમને કંઇક થઈ જાય, તો ગોવામાં રાજકીય સંકટ ઊભુ થઈ શકે છે. તેઓ બહુ બીમાર છે. તેઓ ઈશ્વરના આશીર્વાદથી હજી પણ જીવતા છે અને કામ કરી રહ્યા છે.’

નોંધનીય છે કે મનોહર પર્રિકરને પૅંક્રિયાટિક કૅંસર છે. ફેબ્રુઆરી-2019માં આ બીમારનું નિદાન થયુ હતું. તેઓ ગોવા, મુંબઈ અને ન્યૂયૉર્કમાં સારવાર કરાવી ચુક્યા છે. તેમણે ગત 30 જાન્યુઆરીએ વિધાનસભામાં બજેટ રજૂ કર્યુ હતું અને ત્યાર બાદ તેઓ દિલ્હી એઇમ્સમાં દાખલ થઈ ગયા.

જોકે એક તરફ લોબોએ તેમની હાલત અત્યંત નાજુક બતાવી છે, તો બીજી તરફ મનોહર પર્રિકરે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કૅંસર દિવસે ફરી એક વાર પોતે બાહોશ હોવાનો દાખલો આપ્યો. ગંભીર બીમારીમાં સપડાયા હોવા છતાં પર્રિકરે સોમવારે ટ્વીટ કર્યું, ‘માનવ મસ્તિષ્ક કોઈ પણ બીમારી પર વિજય પામી શકે છે.’

[yop_poll id=1088]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:29 am, Tue, 5 February 19