Gandhinagar : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થશે આ નિવેદન કર્યું છે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ. રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે ચૂંટણીમાં હારના ડરથી જ કોંગ્રેસ મોડી ગણતરી થાય તેવું ઇચ્છે છે. તો બીજી તરફ કોંગ્રેસે પણ વળતો પ્રહાર કર્યો. અને ભાજપ સલાહ આપવાનું બંધ કરે તેવી ટકોર અર્જૂન મોઢવાડીયાએ કરી. મહત્વપૂર્ણ છે કે ચૂંટણીની જાહેરાત સાથે હવે રાજકીય પક્ષો વચ્ચે વાકયુદ્ધની પણ શરૂઆત થઇ છે.
Published On - 5:45 pm, Mon, 25 January 21