GANDHINAGAR : જનસંપર્ક માટે કેન્દ્રસ્તરેથી BJPની જન આશીર્વાદ યોજના, ગુજરાતના પાંચ કેન્દ્રીય મંત્રીઓ રાજ્યમાં કરશે પ્રવાસ

|

Jul 30, 2021 | 1:36 PM

15 ઓગસ્ટ બાદ તમામ આ મંત્રીઓ ગુજરાત પ્રવાસ કરશે અને જન આર્શીવાદ યાત્રામાં સામેલ થશે.16 ઓગસ્ટથી 19 ઓગસ્ટ દરમિયાન કેન્દ્રીય મંત્રીઓ જન આર્શીવાદ યાત્રા કરશે.

GANDHINAGAR: ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય સ્તરેથી જનસંપર્ક માટે જન આશીર્વાદ યોજના બનાવાઈ છે. આ યોજના હેઠળ ગુજરાતના કેન્દ્રીય મંત્રી ગુજરાત પ્રવાસે આવશે. કેન્દ્રીય કેબિનેટ વિસ્તરણમાં ગુજરાતમાંથી 5 સાંસદોને આગવું સ્થાન મળ્યું છે. 15 ઓગસ્ટ બાદ તમામ આ મંત્રીઓ ગુજરાત પ્રવાસ કરશે અને જન આર્શીવાદ યાત્રામાં સામેલ થશે.16 ઓગસ્ટથી 19 ઓગસ્ટ દરમિયાન કેન્દ્રીય મંત્રીઓ જન આર્શીવાદ યાત્રા કરશે. ઉત્તર ગુજરાતના 8 જિલ્લાઓની યાત્રામાં પુરષોત્તમ રૂપાલા,મધ્ય ગુજરાતના 6 જિલ્લામાં દેવુસિંહ ચૌહાણ, સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં મનસુખ માંડવિયા સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ડૉ.મહેન્દ્ર મુંજપરા જન આર્શીવાદ યાત્રામાં સામેલ થશે.

આ પણ વાંચો : JUNAGADH : સતત ચોથા દિવસે ગિરનાર રોપ-વે બંધ, પ્રવાસીઓમાં નારાજગી

આ પણ વાંચો : AHMEDABAD : ગુજરાત સ્ટેટ પોલીસ વેલફેર હોસ્પિટલમાં 20 ICU બેડ સાથે જનરલ વોર્ડ ઉભો કરાશે

Published On - 9:38 am, Fri, 30 July 21

Next Video