સોશિયલ મીડિયા પર સક્રિય રાજકીય ઉન્માદીઓએ ક્રિકેટના ભગવાનને પણ ન છોડ્યાં, એવું નિવેદન કરી નાખ્યું વાયરલ કે જે તેમણે ક્યારેય આપ્યુ જ નથી : તમે પણ વાંચો શું છે FAKE નિવેદન ?

|

Jan 31, 2019 | 6:39 AM

ચૂંટણી આવતા પ્રાયઃ એવું જોવામાં આવે છે કે રાજકીય પક્ષો નામાંકિત હસ્તીઓનો ઉપયોગ વોટર્સને આકર્ષવા માટે કરે છે, પણ શું માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે એવું કહ્યું છે કે કૉંગ્રેસ તરફથી દબાણ કરવામાં આવે, તો પણ તેઓ નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી નહીં લડે ? સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહેલી પોસ્ટમાં આવો જ દાવો કરવામાં […]

સોશિયલ મીડિયા પર સક્રિય રાજકીય ઉન્માદીઓએ ક્રિકેટના ભગવાનને પણ ન છોડ્યાં, એવું નિવેદન કરી નાખ્યું વાયરલ કે જે તેમણે ક્યારેય આપ્યુ જ નથી : તમે પણ વાંચો શું છે FAKE નિવેદન ?

Follow us on

ચૂંટણી આવતા પ્રાયઃ એવું જોવામાં આવે છે કે રાજકીય પક્ષો નામાંકિત હસ્તીઓનો ઉપયોગ વોટર્સને આકર્ષવા માટે કરે છે, પણ શું માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે એવું કહ્યું છે કે કૉંગ્રેસ તરફથી દબાણ કરવામાં આવે, તો પણ તેઓ નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી નહીં લડે ?

સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહેલી પોસ્ટમાં આવો જ દાવો કરવામાં આવી રહ્યો છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

તેંદુલકર તરફથી નિવેદનનો દાવો કરતા આ પોસ્ટ ફેસબુક પેજ પૉલિટિકલ તમાશા પર શૅર કરવામાં આવી છે. આ જ પોસ્ટ જુલાઈ-2018માં જય મોદીરાજ નામના ફેસબુક પેજ પર પણ શૅર કરાઈ હતી. બંને પોસ્ટને હજારો શૅર મળી ચુક્યા છે. બંને પેજોના મળીને 19 લાખથી વધુ ફૉલોઅર્સ છે.

પોસ્ટમાં સચિન તેંદુલકરના નામથી નિવેદન અપાયાનો દાવો કરાયો છે કે જેમાં લખ્યું છે, ‘કૉંગ્રેસ મારી ઊપર ભલે જેટલું દબાણ બનાવે, પણ હું નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી નહીં લડું. કૉંગ્રેસ માટે ચૂંટણી પ્રચાર કરવાનો તો પ્રશ્ન જ પેદા નથી થતો.’

કેટલાક યૂઝર્સ સચિનના આ કથિત નિર્ણયની પ્રશંસા કરતા તેમને સાચા રાષ્ટ્રવાદી ગણાવી રહ્યા છે.

જોકે આ પોસ્ટ વિશે ફૅક્ટ ચેક કરતા જણાયું કે સચિન તેંદુલકરે ક્યારેય પણ આવું કોઈ નિવેદન કર્યું નથી. સચિનના નિકટસ્થો પણ કહે છે કે આ દિગ્ગજ ખેલાડીએ ક્યારેય આવું નિવેદન નથી કર્યું.

નોંધનીય છે કે સચિન તેંદુલકર એવા પ્રથમ ક્રિકેટર છે કે જેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સક્રિય રહેવા દરમિયાન અગાઉની યૂપીએ સરકારે રાજ્યસભા માટે મનોનીત કર્યા હતાં.

જોકે એક મીડિયા રિપોર્ટ પ્રમાણે 2014માં કૉંગ્રેસે સચિનને વારાણસીથી નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી લડાવવાની કોશિશ કરી હતી, પણ તેઓ તૈયાર નહોતા થયાં.

[yop_poll id=927]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article