સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહેલી પોસ્ટમાં આવો જ દાવો કરવામાં આવી રહ્યો છે.
તેંદુલકર તરફથી નિવેદનનો દાવો કરતા આ પોસ્ટ ફેસબુક પેજ પૉલિટિકલ તમાશા પર શૅર કરવામાં આવી છે. આ જ પોસ્ટ જુલાઈ-2018માં જય મોદીરાજ નામના ફેસબુક પેજ પર પણ શૅર કરાઈ હતી. બંને પોસ્ટને હજારો શૅર મળી ચુક્યા છે. બંને પેજોના મળીને 19 લાખથી વધુ ફૉલોઅર્સ છે.
પોસ્ટમાં સચિન તેંદુલકરના નામથી નિવેદન અપાયાનો દાવો કરાયો છે કે જેમાં લખ્યું છે, ‘કૉંગ્રેસ મારી ઊપર ભલે જેટલું દબાણ બનાવે, પણ હું નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી નહીં લડું. કૉંગ્રેસ માટે ચૂંટણી પ્રચાર કરવાનો તો પ્રશ્ન જ પેદા નથી થતો.’
કેટલાક યૂઝર્સ સચિનના આ કથિત નિર્ણયની પ્રશંસા કરતા તેમને સાચા રાષ્ટ્રવાદી ગણાવી રહ્યા છે.
જોકે આ પોસ્ટ વિશે ફૅક્ટ ચેક કરતા જણાયું કે સચિન તેંદુલકરે ક્યારેય પણ આવું કોઈ નિવેદન કર્યું નથી. સચિનના નિકટસ્થો પણ કહે છે કે આ દિગ્ગજ ખેલાડીએ ક્યારેય આવું નિવેદન નથી કર્યું.
નોંધનીય છે કે સચિન તેંદુલકર એવા પ્રથમ ક્રિકેટર છે કે જેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સક્રિય રહેવા દરમિયાન અગાઉની યૂપીએ સરકારે રાજ્યસભા માટે મનોનીત કર્યા હતાં.
જોકે એક મીડિયા રિપોર્ટ પ્રમાણે 2014માં કૉંગ્રેસે સચિનને વારાણસીથી નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી લડાવવાની કોશિશ કરી હતી, પણ તેઓ તૈયાર નહોતા થયાં.
[yop_poll id=927]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]