
ચૂંટણીના માહોલમાં ઘણીબધી ખબરો આપણા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં જોવા મળતી હોય છે. એક ખબર એવી પણ ચાલી રહી છે કે જો તમે વોટ આપવા નહીં જાવ તો તમારા ખાતામાંથી 350 રૂપિયા કપાઈ જશે.
ઘણાં બધા મીડિયા અહેવાલો અને ન્યૂઝપેપરના કટિંગના આધારે એવી ખબરો ફેલાવવામાં આવી રહી છે કે જો તમે મત આપવા નહીં જાવ તો તમારા બેંક ખાતામાંથી 350 રુપિયા કપાઈ જશે. વધારેમાં ખબર એવી પણ છે કે જે લોકોની પાસે બેંક ખાતા પણ નથી તેઓ જ્યારે મોબાઈલ ફોન રિચાર્જ કરાવશે ત્યારે તેના રિચાર્જમાંથી પૈસા કપાઈ જશે.
સાચી હકીકત શું છે?
ઘણાબધા લોકો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સાથે વોટસએપ પણ આ ખબર શેર કરી છે. જેમાં ખાસ કરીને અમુક લોકો પોતાના સ્ટેટસમાં પણ આ વિવિધ ખબરો લગાવીને દાવો કરી રહ્યાં છે જો તમે મતદાન ના કર્યું તો તમારા ખાતામાંથી પૈસા કપાઈ જશે.
હકીકત એવી છે કે આવા કોઈપણ પ્રકારના પૈસા તમારા ખાતામાંથી કપાતા નથી. આ તમામ ખબરો ખોટી છે જે તે અમુક વ્યક્તિઓ દ્વારા ફેલાવવામાં આવી છે. મૂળ વેબસાઈટ અને ન્યૂઝપેપરના કટીંગ સાથે પણ છેડછાડ કરવામાં આવી છે. અમુક ખાનગી અખબારો દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ એક માત્ર વ્યંગ છે સત્યથી આ ખબર ખૂબ જ દુર છે. લોકો ચૂંટણીનો માહોલ હોવાથી આ ખબરો ચલાવી રહ્યાં છે અને ખાસ કરીને હવે જ્યારે ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં છે ત્યારે લોકોને આવી ખોટી ખબરો ફેલાવીને ગુમરાહ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
આ ખબર ભલે ખોટી પણ હોય પણ દરેક નાગરિકે પોતાના દેશમાં એક સક્ષમ સરકાર આવે અને લોકશાહી ટકી રહે તે માટે મતદાન તો કરવું જ જોઈએ. સોશિયલ મીડિયામાં આવી ખબરોના લીધે લોકામાં એક ભયનો માહોલ પેદા થાય છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 9:38 am, Sun, 19 May 19