ભાજપે જબરદસ્ત જીત હાસિલ કરીને તેના લીધે કોંગ્રેસના નેતાએ તેમની પ્રશંસા કરી દીધી અને તેના લીધે કોંગ્રેસ પાર્ટીએ એક્શન લઈને નેતાને પાર્ટીની બહારનો રસ્તો દેખાડી દીધો છે. કોંગ્રેસે કહ્યું કે આ નિર્ણય પાર્ટીના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
કેરલ પ્રદેશ કોંગ્રેસ કમિટિ દ્વારા પીએમ મોદીના વખાણ કરનારા નેતા એપી અબ્દુલ્લા કુટ્ટી પાસે જવાબ માગવામાં આવ્યો હતો. જેમાં કેમ તેઓએ કોંગ્રેસના નેતા થઈને ભાજપના નેતાના વખાણ કર્યા તેનો ઉલ્લેખ કરવાનો હતો. કેપીસીસીએ નિવેદન આપીને કહ્યું કે અબ્દુલ્લા કુટ્ટી પોતાના નિવેદન પર અડગ છે અને તેમને પાર્ટીની પણ મજાક ઉડાવી છે. આથી કોંગ્રેસ પાર્ટીના હિતોને ધ્યાનમાં રાખીને તેમને પાર્ટીમાંથી નિલંબિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: 5G ભારતમાં ક્યારે લોંચ થશે? રવિશંકર પ્રસાદે સૂચના અને પ્રસારણ મંત્રાલયનો ચાર્જ સંભાળીને કરી આ મોટી જાહેરાત
પીએમ મોદીના વખાણ કરતાં કોંગ્રેસ નેતા અબ્દુલ્લા કુટ્ટીએ કહ્યું હતું કે પીએમ મોદીની જીત એ દેખાડે છે કે જનતાએ તેમના વિકાસના એજન્ડાનો સ્વીકાર કર્યો છે. પીએમની સફળતાનું રહસ્ય એ છે કે તેમને મહાત્મા ગાંધીના આર્દશોને અપનાવ્યા છે. કુટ્ટીએ મોદી સરકારના સ્વચ્છ ભારત અભિયાન અને ઉજ્જવલા યોજનાની પણ પ્રશંસા કરી હતી. તેમણે આ વાતને લઈને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ પણ મુકી હતી જેનું શીર્ષક ‘નરેન્દ્ર મોદી કી શાનદાર જીત પર’ એમ રાખ્યું હતું.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પહેલી વખત અબ્દુલ્લા કુટ્ટી દ્વારા મોદી સરકારના વખાણ કે પ્રસંશા કરવામાં આવી નથી. જ્યારે પીએમ મોદીના 2009ના વર્ષમાં તેમણે વખાણ કર્યા ત્યારે તેઓ સીપીઆઈએમના નેતા હતા અને પીએમ મોદીના વખાણ કરવાથી કુટ્ટીની હકાલપટ્ટી કરી દેવાઈ હતી. આમ હાલ તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલાં હોવા છતા પીએમ મોદીના વખાણ કરતા હતા અને પોતાના નિવેદન પર અડગ હોવાથી કોંગ્રેસે અબ્દુલ્લા કુટ્ટીને પાર્ટીથી બહારનો રસ્તો દેખાડી દીધો છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]