ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં વરસેલા સતત ભારે વરસાદને કારણે અનેક જિલ્લામાં ખેતી ક્ષેત્રે નુકસાન થયુ છે. જે જિલ્લામાં ખેતી ક્ષેત્રે નુકસાન થયુ હશે ત્યા સહાય મેળવવા પાત્ર ખેડૂતોને રાજ્ય સરકાર મદદ કરશે તેવી જાહેરાત નાયબ મુખ્યપ્રદાન નીતિન પટેલે કરી છે. વરસાદ વિરામ લે એટલે જિલ્લા કલેકટરો પાસેથી દરખાસ્ત મંગાવી લેવામાં આવશે. કલેકટરની આવેલી દરખાસ્તને ગુજરાતના […]
Follow us on
ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં વરસેલા સતત ભારે વરસાદને કારણે અનેક જિલ્લામાં ખેતી ક્ષેત્રે નુકસાન થયુ છે. જે જિલ્લામાં ખેતી ક્ષેત્રે નુકસાન થયુ હશે ત્યા સહાય મેળવવા પાત્ર ખેડૂતોને રાજ્ય સરકાર મદદ કરશે તેવી જાહેરાત નાયબ મુખ્યપ્રદાન નીતિન પટેલે કરી છે. વરસાદ વિરામ લે એટલે જિલ્લા કલેકટરો પાસેથી દરખાસ્ત મંગાવી લેવામાં આવશે. કલેકટરની આવેલી દરખાસ્તને ગુજરાતના કૃષિ અને મહેસુલ વિભાગની મંજૂરીથી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. એસડીઆરએફ યોજના હેઠળ જે કોઈ નુકસાનગ્રસ્ત ખેડૂતોને મળવાપાત્ર સહાય, તમામ કાર્યવાહી સંપન્ન કરીને ત્વરીત ચૂકવવામાં આવે તેવી કાર્યવાહી કરાશે.