
ગુજરાતમાં સતત વરસેલા ભારેથી અતિ ભારે વરસાદથી સમગ્ર રાજ્યમાં 82.88 લાખ હેકટર જમીનમાં ખેતીક્ષેત્રે 25 હજાર કરોડનું નુકસાન થયુ હોવાનુ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું છે. ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું છે કે, ખેડૂતોને તત્કાળ સહાય ચૂકવવી જોઈએ. ડાંગર, મકાઈ, જુવાર અને મગફળીના પાકને વ્યાપક નુકસાન થયુ છે. પાક વીમો અને ધિરાણ માફીના લાભ ખેડૂતોને આપવા પત્રમાં માંગ કરી છે.
આ પણ વાંચોઃભારે વરસાદથી ખેડૂતોને નુકસાન, સરકાર ખેડૂતોને કરશે મદદ, નીતિન પટેલની જાહેરાત
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 5:56 am, Tue, 1 September 20