ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં કોરોના વિસ્ફોટ થયો. ખુદ સીએમ રૂપાણીને પણ કોરોના થઇ ગયો, છતાં કાર્યકરો અને નેતાઓ સુધરવાનું નામ નથી લઇ રહ્યા. અમરેલીમાં સ્મૃતિ ઇરાનીના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડી ગયા. જેસિંગપરાના શિવાજી ચોકમાં સ્મૃતિ ઇરાનીએ કાર્યાલયનું ઉદ્ધાટન કર્યુ હતુ, તે સમયે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. એટલું જ નહિં મોટાભાગના લોકોએ તો માસ્ક પણ નહોતું પહેર્યુ.