શક્તિસિંહ ગોહિલે કયું : ‘ઓવૈસી ભાજપની બી ટીમ, કોંગ્રેસના મત તોડવાની આ મથામણ’

|

Sep 21, 2021 | 7:27 PM

ભાવનગરની મુલાકાત દરમિયાન શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ઓવૈસીને ભાજપની બી ટીમ ગણાવી હતી.

રાજ્યમાંનો રિપિટ થિયરીથી આખી સરકાર બદલાઇ ગઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવું મંત્રીમંડળ ચાર્જ સંભાળ્યા પછી એક્શનમાં જોવા મળી રહ્યું છે. આ તરફ કોંગ્રેસ નો રિપિટ થીયરી અને ભાજપ પર ઘણા સવાલો ઉભા કરી રહી છે. ત્યારે કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આજે ભાવનગરની મુલાકાતે હતા.

ભાવનગરની મુલાકાત દરમિયાન શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. એટલું જ નહીં પરંતુ શક્તિસિંહ ગોહિલે ઓવૈસીને ભાજપની બી ટીમ ગણાવી હતી. આ દરમિયાન શક્તિસિંહે tv9 સાથે ખાસ વાતચીત પણ કરી. ચાલો જાણીએ શું કહ્યું તેમેણે.

શક્તિસિંહે ભાજપની નો રિપીટ થીયરી પર કહ્યું કે, ભાજપમાં ગભરાટ ઉભો થઇ ગયો છે. ડૂબતો હોય એ તરણું પકડે એવી આ સ્થિતિ છે. કોરોનામાં લોકોની ચિંતાના કરી, સહાય ના આપી. વાવાઝોડામાં ખેડૂતને રાહત ના આપી, યુવાનોને રોજગાર નથી, સરકારી કર્મચારી પોતાના પ્રશ્નો માટે રોજ ઝઝૂમે છે, સામાન્ય માણસને કોઈ સુવિધા નથી. એટલે લોકોના રોષને ખાળવા મુખ્યમંત્રી અને નો રિપિટ થીયરીથી સરકાર બનાવી છે.

ત્યારે અમદાવાદની મુલાકાતે આવેલા ઓવૈસી અને તેની પાર્ટીને લઈને શક્તિસિંહે કહ્યું કે ભાજપ એ ટીમ, બી ટીમ, સિ ટીમ, પૈસાના દમે કોંગેસના મત તોડવા માટે મથી રહી છે. પરંતુ મતદાતા મુર્ખ નથી. અને સ્પષ્ટ આદેશ કોંગ્રેસની તરફેણમાં આવશે.

 

 

આ પણ વાંચો: AHMEDABAD : ફાયર સેફટી વગરની 212 સ્કૂલોને બંધ કરવાની નોટીસ અપાતા ખળભળાટ, ફાયર વિભાગે 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું

આ પણ વાંચો: Rajkot: યુવતી સાથે કારમાં રંગરલીયા મનાવતા પોલીસમેનનો વિડીયો વાયરલ, સ્થાનિકોએ આપ્યો મેથીપાક

Next Video