Surat: કોંગ્રેસે ફોન પર આપ્યા ઉમેદવારોને મેન્ડેટ, પાસ કન્વીનર ધાર્મિક માલવિયાને આપી ટિકિટ

|

Feb 06, 2021 | 11:21 AM

સુરતમાં કોંગ્રેસમાં નારાજગી ઓછી થવાનું નામ જ નથી લઇ રહ્યુ. કોંગ્રેસે કેટલાક વોર્ડમાં ઉમેદવારોને ફોન પર જ બારોબાર મેન્ડેટ આપી દીધા અને તેમાં સુરતના વોર્ડ નંબર-3માંથી પાસ કન્વીનર અને પાટીદાર નેતા ધાર્મિક માલવિયાને કોંગ્રેસે ટિકિટ આપી છે.

સુરતમાં કોંગ્રેસમાં નારાજગી ઓછી થવાનું નામ જ નથી લઇ રહ્યુ. કોંગ્રેસે કેટલાક વોર્ડમાં ઉમેદવારોને ફોન પર જ બારોબાર મેન્ડેટ આપી દીધા અને તેમાં સુરતના વોર્ડ નંબર-3માંથી પાસ કન્વીનર અને પાટીદાર નેતા ધાર્મિક માલવિયાને કોંગ્રેસે ટિકિટ આપી છે. સિનિયર કાર્યકરો અને જૂના જોગીઓમાં રોષ જોવા ન મળે તે માટે, ઉમેદવારો જાહેર કરવાની જગ્યાએ ફોનથી જ ટિકિટ આપ્યાની જાણ કરવામાં આવી. કોંગ્રેસ દ્વારા ધાર્મિક માલવિયાને વોર્ડ નંબર-3માંથી ટિકિટ આપ્યા હોવાની ટેલિફોનિક જાણ કરી હતી. ધાર્મિક માલવિયાને ટિકિટ આપવા પર કોંગ્રેસના કાર્યકરોમાં છૂપો રોષ અને આંતરિક જૂથવાદ ફેલાઇ રહ્યો છે. ધાર્મિક માલવિયાએ ટિકિટ મળતા જ ખુશીની લાગણી વ્યક્ત કરી અને ટિકિટને સામાજિક ક્ષેત્ર સાથે રાજકીય ક્ષેત્રમાં આગળ વધવાની તક ગણાવી.

Next Video