નિર્મલા સિતારમણે કહ્યું કે, ઈલેકટ્રીક વાહનોના વેચાણને સરકાર પ્રોત્સાહન આપશે. દેશમાં પેટ્રોલ અને ગેસ આધારિત વાહનોનું ચલણ છે. જેને લઈને પર્યાવરણ સહિત અન્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખી સરકાર ઈ-વાહનો તરફ આગળ વધવા માગે છે. જેથી ઈ વાહનોના ઉત્પાદનને 12માંથી 5 ટકાના GST સ્લેબમાં લાવી દેવાયું છે. ઈ-વાહનોના વેચાણ પર સરકારના પ્રોત્સાહનથી આગામી સમયમાં ઓટો મોબાઈલ ક્ષેત્રે કંપનીઓને પણ નવુ માર્કેટ મળી રહેશે.
આ પણ વાંચોઃ બજેટ 2019: જાણો શું થશે મોંઘુ અને શું થશે સસ્તુ?
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
2030 સુધી દેશમાં અડધાથી વધુ પેસેન્જર કારને વીજળીથી ચાલતી કાર બનાવવાના લક્ષ્યને લઈ સરકાર પર મોટી જવાબદારી છે. 2015માં કરેલા પેરિસ કરારથી પેટ્રોલની આયતમાં ઘટાડો અને પ્રદૂષણ પણ ઓછું કરવાના પથ પર સરકાર છે. દિલ્હીમાં હાલ 2500 ઈલેક્ટ્રિક વાહનો રસ્તા દોડી રહ્યા છે. જેની સામે ચાર્જિગ સ્ટેશનની સંખ્યા માત્ર 50 છે. ઈ-વાહનોના ચાર્જીગ માટેના સ્ટેશનની જાણકારી મોબાઈલથી પણ મળી શકશે. ઈલેક્ટ્રિફાઈ નામની મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જે આધારે તમે મોબાઈલથી ચાર્જીગ સ્ટેશન શોધી શકો છો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વર્ષ-2019ની શરૂઆતથી જ બાઈક, કારની ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડો 6 મહિનાથી સતત યથાવત્ પણ છે. જૂન મહિનાના સેલ્સ રિપોર્ટમાં Maruti Suzuki, Hyundai, Honda Cars, Toyota અને Mahindra જેવી કંપનીઓના વેચાણમાં ઘટાડો છે.
[yop_poll id=”1″]
Published On - 12:51 pm, Fri, 5 July 19