ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી વિરોધીઓને ચેતવણી આપી. BTPના છોટુ વસાવા અને મહેશ વસાવાને ચેતવણી આપતા મનસુખ વસાવાએ કહ્યું કે, તેઓ મારા માટે મચ્છર બરાબર છે. સાંસદ વસાવાએ કહ્યું કે, નગરપાલિકાને કબજે કરવાના જે લોકો સપના જોઇ રહ્યા છે, તેઓને મારે કંઇ નથી કહેવું પરંતુ મને બધા પ્રકારના દાવ આવડે છે. આ ઉપરાંત જે લોકો મેદાને પડ્યા છે, તે લોકોની કેસટ તેમની પાસે હોવાનો પણ તેમણે રાગ આલોપ્યો.