કોરોના સંક્રમણને અટકાવવા એક તરફ રાજ્ય સરકારે નવરાત્રીનું આયોજન રદ્દ કરી સરાહનીય પગલું ભર્યું છે. તો બીજી તરફ રાજકીય નેતાઓને કોરોના સંક્રમણની કંઈ પડી નથી એમ લાગે છે. સરકાર પ્રજાને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા અપીલ કરે છે. મોટાભાગની પ્રજા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું બરાબર પાલન કરી રહી છે. બીજી તરફ રાજકીય નેતાઓ જ સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. બોટાદના ભાજપ મધ્યસ્થ કાર્યલય ખાતેના આ દ્રશ્યો જુઓ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તો બીજી તરફ અમદાવાદના ઈસનપુરમાં ભાજપના વોર્ડ પ્રમુખ આતિશ પટેલ અને કોર્પોરેટરો જેમણે જાહેરમાં જ જન્મદિવસની આ રીતે ઉજવણી કરી. રસ્તા પર જ લોકોના ટોળા એકઠા કરીને નેતાજીએ જન્મદિવસ ઉજવતા ગુનો નોંધાયો છે. બીજી તરફ નવસારીમાં પણ સોશિયલ ડિસ્ટન્સના નિયોમનો ભંગ થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જલાલપોરમાં નવ નિર્મિત મહાત્મા ગાંધી જીમનેશિયમનું લોકાર્પણ કરતી વખતે નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઇની હાજરીમાં નિયમો તોડાયા.
આ પણ વાંચો: દેવામાં ડૂબેલી એરલાઈન્સ કંપની જેટ એરવેઝને આખરે નવા માલિક મળ્યા
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો