મુખ્યપ્રધાન કમલનાથે પોતે આ વાત એક મીડિયા સાથેની વાતચીતમાં કહી છે. કમલનાથે આરોપ લગાવ્યો, ‘ભાજપ મધ્ય પ્રદેશમાં ઑપરેશન લોટસનો પ્રયત્ન કરી રહ્યો છે. ભાજપે કૉંગ્રેસના પાંચ ધારાસભ્યોનો સંપર્ક કરી તેમને પ્રલોભન આપવાનો પ્રયત્ન કર્યો. આ ધારાસભ્યોએ મને ભાજપની આ કવાયત અંગે માહિતી આપી છે. ભાજપ કૉંગ્રેસના ધારાસભ્યો તોડવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે જેથી તે મધ્ય પ્રદેશમાં સરકાર બનાવી શકે.’
નોંધનીય છે કે મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસની કમલનાથ સરકારને ખૂબ જ પાતળી બહુમતી છે, કારણ કે વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસને જરૂરી 116 બેઠકો નહોતી મળી. તેને 114 બેઠકો જ મળી હતી. કમલનાથ સરકાર બીએસપીના 2, એસપીના 1 અને 4 અપક્ષ ધારાસભ્યોના ટેકાથી ચાલી રહી છે.
બીજી બાજુ ભાજપના 109 ધારાસભ્યો છે અને જો તે 7 ધારાસભ્યોની વ્યવસ્થા કરી લે, તો મધ્ય પ્રદેશમાં તખ્તાપલટ કરી શકાય. એટલા માટે જ કમલનાથને પોતાની સરકારના તખ્તાપલટનો ભય હોય, તેવું તેમના આરોપો પરથી લાગે છે.
મુખ્યપ્રધાન કમલનાથનો ભય અકારણે નથી. મધ્ય પ્રદેશમાં મુખ્યપ્રધાન પદની રેસમાં જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હતાં, પરંતુ હાઈકમાંડે કમલનાથની પસંદગી કરી. કહેવાય છે કે સિંધિયા આ વાતથી નારાજ ચાલી રહ્યા છે.
દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ સોમવારે રાત્રે અચાનક પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપ નેતા શિવરાજ સિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી. આ મુલાકાત બાદ મધ્ય પ્રદેશનો રાજકીય માહોલ ગરમાઈ ગયો.
સિંધિયા-શિવરાજે 40 મિનિટ સુધી બંધ બારણામાં વાતચીત કરી અને બંને એક સાથે પત્રકારો સામે આવ્યાં. બંનેએ આ મુલાકાતની સૌજન્ય મુલાકાત ગણાવી.
પરંતુ રાજકીય વિશ્લેષકો સિંધિયા-શિવરાજની મુલાકાતને રાજકીય ચશ્માથી જોઈ રહ્યા છે. તેમને લાગે છે કે બંને નેતા મધ્ય પ્રદેશના રાજકારણમાં કંઇક નવા-જૂની કરી શકે છે.
[yop_poll id=740]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”
Published On - 11:22 am, Tue, 22 January 19